મોજપ, મકનપુર સહિતના ગામોના સહયોગથી થશે આયોજન
દ્વારકા નજીક શિવરાજપુર ગામે આવેલ હઝરત જાકુપીર ડાડાની દરગાહના પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.18.09.24 ને બુધવાર, ભાદરવી પૂનમના રોજ સ્થાનીય રણબંકાઓના શૌર્યનું કૌશલ્ય દેખાડતા મલ્લકુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મલ્લ કુસ્તી મેળો એ આપણી સંસ્કૃતિના રામાયણ મહાભારત કાળની આગવી ઓળખ છે.
સ્થાનીય વયોવૃધ્ધ વડીલોના મતે આ મલ્લ કુસ્તી મેળો આશરે 500 વર્ષ ઉપરાંતથી રાજાશાહી વખતથી પરંપરાગત રીતે થતો આવ્યો છે જેમાં ઓખામંડળના પૌરાણિક ઈતિહાસમાં પણ આ કુસ્તીમેળામાં ભાગ લેનાર શુરવીરોમાંથી સેનામાં ભરતી થતી હોવાની પ્રચલિત લોકવાયિકા છે.
આ કુસ્તીમેળાની વિશેષતા એ છે કે અહીં ઓખામંડળ તેમજ બારાડી, બરડા પંથકના સ્થાનીય હિન્દુઓ તથા મુસ્લીમ બિરાદરો એક જ સ્થળે પોતપોતાનું શૌર્ય કૌશલ્ય દેખાડવા દર વર્ષની ભાદરવી પૂનમે એકઠા થાય છે જે નિહાળવા પણ હજારો ગ્રામીણો એકઠા થાય છે. હિન્દુ મુસ્લીમ કોમી એખલાસના પ્રતિક સમી પૌરાણિક પરંપરા 500 વર્ષ બાદ પણ જળવાઈ રહી છે.
આધુનિક સમયમાં પણ પૌરાણિક પરંપરા આયોજકો દ્વારા તૈયાર કરાયેલ પરંપાગત નિયમો અનુસાર મલ્લ કુસ્તી યોજવામાં આવે છે. શિવરાજપુર ખાતે સ્થાનીય ગ્રામજનો દ્વારા શિવરાજપુર, મોજપ તેમજ મકનપુર ગામોના સહયોગથી આગામી બુધવારે સવારે 11.30 થી સાંજે 4.30 સુધી હજરતવલી જાકુપીર ડાડાની દરગાહે પારંપરિક મલ્લ કુસ્તી મેળા યોજાનાર છે. આ મલ્લ કુસ્તી મેળો નીહાળવા માટે આજુબાજુના ગામોમાંથી લોકો ઉમટી પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમોટા મવા-મવડી વચ્ચેના ન્યુ ઓમ નગરમાં કોરોનાનો કેસ મળ્યો; ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી
May 22, 2025 03:09 PMપંજાબ-હરિયાણા હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વકીલો પાસે પરિસર ખાલી કરાવાયું
May 22, 2025 02:53 PM૨૫૦ રાજીનામા મંજુર કરો ને ભરતી શરૂ કરો:મનપા સામે સફાઇ કામદારોના યુનિયન મેદાને
May 22, 2025 02:49 PMરૈયામાં સમાધાન માટે બોલાવી યુવક પર ધોકા વડે હુમલો: મિત્રોને પણ મારમાર્યો
May 22, 2025 02:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech