પોરબંદર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રખડતા-ભટકતા નંદીનો ત્રાસ વધ્યો છે ત્યારે બીજી બાજુ પકડવામાં આવતા પશુઓને ઓડદર ખાતે ગૌશાળામાં પાયાની સગવડ ઉપલબ્ધ નહી હોવાથી વિરોધ વંટોળ ચાલી રહ્યો છે ત્યારે મંગળવારે બપોર બાદ વધુ અનેક નંદીને પકડવામાં આવ્યા છે. જેથી જીવદયાપ્રેમીઓએ આક્રોશ વ્યકત કર્યો હતો.
પોરબંદર શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી મહાનગરપાલિકાના તંત્રએ મંગળવારે બપોર બાદ આઠેક જેટલા નંદીને પકડયા હતા અને ઓડદરની ગૌશાળા ખાતે લઇ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિલમ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ડો. નેહલબેન કારાવદરાએ જણાવ્યુ હતુ કે નંદી પકડે તેની સામે કોઇ જ વિરોધ નથી પરંતુ ઓડદરની ગૌશાળામાં પૂરતી સુવિધા ઉભી કર્યા વગર પશુઓને પૂરવામાં આવે છે અને ત્યાં અનેક નંદી મૃત્યુ પામ્યા છે
તે અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિથી માંડીને વહીવટદાર એવા જિલ્લા કલેકટર દ્વારા પણ યોગ્ય કરવામાં આવ્યુ નથી આ મુદ્ે જીવદયાપ્રેમીઓ અને તંત્ર વચ્ચે અવારનવાર ઘર્ષણ થઇ રહ્યુ છે તેમ છતાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મનપાનું તંત્ર પહોંચીવળે તેમ નથી તેથી વચગાળાનો રસ્તો શોધીને તેનું નિરાકરણ કરાવવુ જરી બન્યુ છે તેવુ શહેરીજનો ઇચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech