તળાજાના ભારોલી ગામે આધેડની હત્યા

  • June 07, 2025 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેર અને જિલ્લામાં મારામારી, જીવલેણ હુમલા તેમજ હત્યા સહિતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બે દિવસ પૂર્વે જ પાલીતાણામાં શંકા રાખી પતિએ છરીના ૧૪ઘા ઝીંકી હત્યા નીપજવ્યાની ઘટના હજુ તાજી જ છે. ત્યાં તળાજા તાલુકાના ભારોલી ગામની સીમમાં આવેલી એક વાડીમાં આજ ગામના શખ્સને આધેડે તમે વાડીએ કેમ વારંવાર આવો છો, અને મારાં કૌટુંબિક બેન સાથે સંબંધ રાખો છો, તેમ ખેતા શખ્સે ઉશ્કેરાઈને આધેડને પાડી દઈ આડેધડ લાતો મારી તેની છાતી પર બેસી ગળાપચી દાબી ગંભીર ઇજાઓ કરી આધેડની કૌટુંબિક બેન અને તેના સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હ્યો. દરમ્યાનમાં આધેડને ગંભીર હાલતે સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નીપજતા આધેડની બહેન દ્વારા તળાજા પોલીસ મથકમાં ભારોલી ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હયી. ઘટનાના પગલે તળાજા પંથકમાં ચકચાર મચી હતી. 
આ અંગે ભારોલી ગામની સીમમાં ઘેલુભા અજુભાની વાડીમાં ભાગીયુ રાખી વાડી માંજ ઝૂંપડું બાંધી રહેતી ચેતનાબેન ભુથાભાઈ પરમાર  (ઉ. વ. ૩૮)એ તળાજા પોલીસ મથકમાં ભારોલી ગામના જ લગ્ગધીરસિંહ ઉર્ફે લઘરો રમજુભા ગોહિલ નામના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે  ગઈ તા.૦૩-૦૬-૨૦૨૫ ના રોજ હું તથા મારા બાળકો ઘેલુભા અજુભાની વાડીએ હતા. ત્યાર સાંજના સાત વા ગ્યાની આજુબાજુ મારા કુટુંબીભાઈ અશોકભાઈ ઉર્ફે પીન્ટુ ચીથરભાઈ પરમાર મારા ઝુપડાએ આવેલા અને તેણે દારૂ પીધે લ હતો.અને મને એક પ્લાસ્ટીકના ઝબલુ આપી મને કહેલ કે આ મટન છે અને તેનુ શાક બનાવો જેથી મે અ શોકભાઈ પાસેથી ઝબલુ લઈ તેમા રહેલ મટન મારા ઝુપડામા બાફવા મુકેલ અને મટન બફાઈ જતા સવા આઠેક વાગ્યાના અરસામાં  ગામના દરબાર લગ્ધીરસિંહ ઉર્ફે લઘરો રમજુભા ગોહીલ મારા ઝુપડે આવેલ ત્યારે  અશોકભાઈએ  લગ્ધીરસિંહ ને કહેલ કે તમો શા માટે  વાડીએ આવેલ છો? તમો ચેતનાબેન સાથે સબંધ ધરાવો છો તેમ કહેતા બં ન્ને વચ્ચે બોલાચાલી થયેલી અને લગ્ધીરસિંહે મારા ભાઇ અશોકભાઇને લાફો મારેલો અને અશોકભાઇ    આડો પડી ગયેલો અને લગ્ધીરસિંહ તેને ઢસડીને ઝુંપડાની બહાર લઇ ગયેલ આ વખતે અશોકભાઇએ ત્યાથી નાનો પથ્થર નો છુટ્ટો ઘા લગ્ધીરસિંહને મારતા લગ્ધીરસિંહને મોઢા પર વાગતા    લગ્ધીરસિંહે ઉશ્કેરાઈ જઈ    અશોકભાઇ ને બંન્ને પડખામા તથા છાતી પર આડેધડ પાટા મારી   અશોકભાઈની છાતી પર બેસી  જોરથી ગળાપચી દબાવવા લાગતા તે વખતે મે તથા મારા સંતાનોએ  દેકારો કરતા લગ્ધીરસિંહે અશોકભાઇને છોડી દિધેલ અને અશોક ભાઇને મે પુછેલ પરંતુ તે કાઇ બોલતા ન હતા પણ ઇશારાથી પાણી માંગતા હતા જેથી મે પાણી પાયેલ અને અશોકભાઇ ઉભા નહી થતા  લગ્ધીરસિંહે કહેલ કે તેણે દારૂ પીધેલ છે હમણા ઉભો થઇ જતો રહેશે તેમ કહી  લગ્ધીરસિંહે  મને   આ વાત કોઈને કહીશ તો તને અને  તારા બાળકોને જાનથી મારી નાખીસ તેમ કહી  જતો રહ્યો હતો.
 ત્યારબાદ હુ મારા બાળકો સાથે મહિપતસિંહની વાડીએ જ્યા અશોકભાઈ રહેતા હતા ત્યાં જતી રહેલ હતી અને બીજા દિવસે સવારમા અજવાળુ થતા હુ તથા મારા બાળકો અમારી વાડીએ પાછા આવતા  અશોકભાઈ બેભાન હાલતમા હતા. દરમ્યાન લગ્ધીરસિંહ ફરીથી વાડીએ આવ્યો હતો.અને મે મારા પુત્ર પિયુષને બાજુની વાડી વાળા આશાબે નના  ફોન માંથી ૧૦૮ ને ફોન કરવા લેવા મોકલેલ અને મારા પુત્રએ ૧૦૮ને ફોન કરતા ૧૦૮ આવતા તેમા અશોકભાઇને હુ તથા મારા બાળકો ભાવનગરની  સર.ટી.હોસ્પીટલ સારવાર મા લઇ ગયેલા અને સારવારમા દાખલ કરેલ. જેમાં ચાલુ સારવાર દરમ્યાન બપોરના બારેક વાગ્યે  અશોકભાઈ ગુજરી ગયેલા તે વખતે સર ટી હોસ્પીટલ પોલીસે મારી પુછપરછ કરેલી પરંતુ લગ્ધીરસિંહે મને અને મારા બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોઇ જે ધમકી થી ડરી જઈને સાચી હકીકત લખાવેલ નહીં તેમજ બીકના કારણે મે આ વાત કોઇને કહેલ ન હતી. પરંતુ  ફરીથી ચેતનાબેનને તળાજા પોલીસે પોલીસ મથકે ઘટના અંગે  પુછપરછ માટે બોલાવતા લગ્ધીરસિંહ ઉર્ફે લઘરોએ અશોકભાઈ ની હત્યા નીપજવ્યાની ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસ મથકના પીઆઈ અરજણ ગોહિલે લગ્ધીરસિંહ ઉર્ફે લઘરો રમજુભા ગોહિલ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application