આઇ.ટી.આર.એ. ખાતે નાતાલના દિવસે પણ થશે પ્રકૃતિ પરીક્ષણ

  • December 24, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શું આપે કરાવ્યું પ્રકૃતિ પરીક્ષણ?

આઇ.ટી.આર.એ. ખાતે નાતાલના દિવસે પણ થશે પ્રકૃતિ પરીક્ષણ

જામનગર... સમગ્ર દેશમાં આયુષ મંત્રાલય દ્વારા ચાલી રહેલું પ્રકૃતિ પરીક્ષણ પુર જોશમાં છે, ત્યારે જામનગર ખાતે આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (આઇ.ટી.આર.એ.)માં પણ પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આવતી કાલે ૨૫ ડિસેમ્બરના રોજ નાતાલની જાહેર રજાના દિવસે પણ વિનામૂલ્યે તજજ્ઞ સ્વંસેવકો દ્વારા પ્રત્યેક ઓ.પી.ડી. ખાતે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન પ્રકૃતિ પરીક્ષણ કરી આપવાની ખાસ સેવા આપવામાં આવશે. 

એક મોબાઇલ એપ્લિકેશનમાં તજજ્ઞ આયુર્વેદ સ્વંસેવકો દ્વારા વ્યક્તિના જીવનની રોજિંદી ટેવ અને પ્રતિક્રિયાના આધારે તેની વિગતો દાખલ કરી, તેના સહારે વ્યક્તિ સ્વયં પોતાની પ્રકૃતિને સમજી સ્વાસ્થ્યને વધુને વધુ મજબૂત બનાવવા માટે સુગમ્ય સેવા એટલે પ્રકૃતિ પરીક્ષણ. આઇ.ટી.આર.એ. ખાતે નાતાલના દિવસે કોઇ પણ વ્યક્તિ જે પોતાનું પ્રકૃતિ પરીક્ષણ કરાવવા ઇચ્છ્તો હોય તે ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા સ્માર્ટ ફોન સાથે હાજર રહેશે તો માત્ર થોડી મિનિટમાં આ પ્રક્રિયા પૂર્ણ થશે અને ભવિષ્યમાં પણ તેને પોતાના સ્વાસ્થ્ય સંબંધી જાણકારી અને સલાહ આ એપ્લિકેશન દ્વારા આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે. આઇ.ટી.આર.એ.ના પ્રભારી નિયામક પ્રો. બી.જે. પાટગીરી દ્વારા પ્રકૃતિ પરીક્ષણ કરાવવા જામનગરની જનતાને આહવાન કરવામાં આવે છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application