સલાયામાં એકપણ આધાર કેન્દ્ર ચાલુ નથી, લોકોને ભારે પરેશાની

  • November 26, 2024 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમ આદમી પાર્ટી તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા રજૂઆત


સલાયામાં હાલ એક પણ આધાર કેન્દ્ર ચાલુ નથી. નગરપાલિકામાં એક આધાર કીટ ધીમી ધીમી ચાલતી હતી, જે પણ ઘણા દિવસોથી બંધ થઈ ગઈ છે. હાલ સલાયાના લોકોને આધારકાર્ડમાં કોઈ સુધારો કે મોબાઈલ નંબર અપડેટ કરવા હોય તો ખંભાળિયા ધક્કા થાય છે. ત્યાં પણ વધુ પડતાં લોકો આવતા હોઈ વારો આવતો નથી અને આખો દિવસ સલાયાના લોકોનો બગડે છે. જેમાં બહેનોને ભારે હાલાકી ભોગવવી પડે છે.


સરકાર દ્વારા હાલ રેશન કાર્ડમાં કે.વાય.સી. ચાલુ હોઈ આધારમાં સુધારા કરવા ખાસ જરૂરી બન્યા છે, ત્યારે જ સલાયાની આધાર કીટ બંધ હોઈ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સલાયાના સામાજિક આગેવાનો તેમજ અન્ય આગેવાનો દ્વારા કલેકટરને પણ લેખિત રજૂઆતો કરેલ છે, તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ડો. કે.જે. ગઢવીનાં માર્ગદર્શન હેઠળ સ્થાનિક આપના હોદેદારો તેમજ આગેવાનો ને સાથે રાખી આધાર કિટની સ્મશાન યાત્રા ખંભાળિયા કાઢી અલગ રીતે વિરોધ નોંધાવ્યો છે, અને મામલતદારને આવેદન આપેલ છે.

આમ હાલ તુરંત સલાયાની પ્રજાને રાહત આપવા આધાર કીટ ફાળવી અમે આધાર કેન્દ્ર ચાલુ કરવા લોક માંગણી ઉભી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application