ખંભાળિયામાં જામનગર માર્ગ પર આવેલી જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તા. 8 મીના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે વિના મૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નેત્ર કેમ્પમાં વીરનગરની જાણીતી શિવાનંદ મિશન હોસ્પિટલના જાણીતા ડોક્ટરો તેમજ ટેક્નીશીયનો તેઓની સેવાઓ આપશે. અહીં દર્દીઓને સ્થળ પર તપાસી દવા તેમજ સારવાર આપવામાં આવશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વીરનગર લઈ જઈ અને આધુનિક પદ્ધતિથી આંખનું ઓપરેશન પણ કરી આપવામાં આવશે.
સર્વરોગ નિદાન કેમ્પમાં જાણીતા તબીબ ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા દર્દીઓને તપાસીને દવા આપશે. દંતયજ્ઞમાં તા. 8 તથા 9 ના રોજ દાંત પાડવા તેમજ બત્રીસી સહિતની વિવિધ વિનામૂલ્યે સારવાર યુ.કે. સ્થિત સ્માઈલ સ્ટાર ડોક્ટરોની ટીમ અને બદીયાણી હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવશે.
આ કેમ્પમાં માટે દાતા સ્વ. રમેશભાઈ પ્રેમજીભાઈ બદીયાણી (યુ.કે. અને કેનેડા) વિગેરે પરિવારનો આર્થિક સહયોગ સાંપળ્યો છે. આ પ્રસંગે યોજાયેલા દાતા પરિવાર સન્માન સમારોહમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, જાણીતા તબીબ ડો. નિરવ રાયમગીયા, ભાટિયા લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ દતાણી વિગેરે ખાસ ઉપસ્થિત રહેશે. આ કેમ્પનો મહત્તમ લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના દર્દીઓને માનવ સેવા સમિતિના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર આયોજન માટે માનવ સેવા સમિતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech