ખંભાળિયા નજીક જામનગર હાઈવે માર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદિયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 28 મી ના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટની જાણીતી શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના ઉપક્રમે યોજવામાં આવેલા આ નેત્ર કેમ્પમાં આ હોસ્પિટલના ડોક્ટરો તેમજ ટેક્નીશીયનો તેઓની સેવાઓ આપી, દર્દીઓની સારવાર કરશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી, નેત્રમણી પણ મૂકી આપવામાં આવશે.
સર્વરોગ નિદાન કેમ્પમાં અહીંના નિષ્ણાંત તબીબ ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા દર્દીઓને તપાસી, તેઓની સારવાર કરશે. આ કેમ્પનો મહત્તમ લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના દર્દીઓને સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદિયાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech