ધો.6 થી 10 ના વિદ્યાર્થીઓ માટે 'ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ'નું આયોજન
વિદ્યાર્થીઓએ તા. 5 ઓક્ટોબર સુધીમાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જામનગર ખાતે અરજી રજૂ કરવાની રહેશે
જામનગર તા.27, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપનું આયોજન આગામી દિવસોમાં યોજાનાર છે.બાળકોની ચિત્રકલામાં રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તે હેતુને ધ્યાને લઈને ધોરણ-૬ થી ૧૦ સુધીના ૧૦૦ વિદ્યાર્થીઓ માટે દૈનિક બે કલાક માટેનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઈચ્છતા શાળાના વિદ્યાર્થીઓએ નિયત નમુના અરજી ફોર્મ ભરી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨, પહેલા માળે, રાજપાર્ક પાસે, જામનગર ખાતે મેળવી તા.૦૫/૧૦/૨૦૨૩ બપોર ૧૨:૦૦ કલાકે સુધીમાં પરત મોકલવાનું રહેશે.વર્કશોપના સ્થળ અને સમય અંગે અરજીઓ આવ્યા બાદ જાણ કરવામાં આવશે.વધુ વિગત માટે કચેરીના ફોન નં.૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech