જામનગરના આંગણે તા. ર૭ અને તા. ર૮ એમ બે દિવસ માટે શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની મંગલ પધરામણી થશે.
જેમાં તા. ર૭-૭ ના રાત્રે ૮ થી ૯-૩૦ વચનામૃત અને ગ્રુપ મિટીંગ અને રાત્રે ૯-૩૦ થી ૧૦-૩૦ હરિનામ સંકીર્તન અને શ્રીકૃષ્ણ ધ્યાનનો કાર્યક્રમ લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ નાં અંતે અલ્પઆહારની વ્યવસ્થા કરવામાં આવી છે.
તા. ર૮-૭ના સવારે ૭-૩૦ થી ૮ પૂજ્ય શ્રી ના સ્વમુખેથી હરિનામ સંકીર્તન, સવારે ૯ વાગ્યે પૂજ્યશ્રી દ્વારા બ્રહ્મસંબંધની દિક્ષા આપવામાં આવશે. પૂજયશ્રીનું મુકામ સ્થળ સુરેશભાઈ પટેલ ગૃહે શિવમ-૧ રઘુવીર સોસાયટી, જનતા ફાટક પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે. રાત્રે ૮ થી ૯-૩૦ વચનામૃત અને ગ્રુપ મિટિંગ, રાત્રે ૯-૩૦ થી ૧૦-૩૦ હરિનામ સંકીર્તન અને શ્રી કૃષ્ણ ધ્યાનનો કાર્યક્રમ સરદાર પાર્ક-ર, શેરી નં.૧ રણજીતસાગર રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. બ્રહ્મસંબંધ, ઠાકુરજી પુષ્ટ અને પૂજયશ્રીની પધરામણી માટે મો. ૭૦૧૬૪ ર૪ર૬૦ મો. ૯૩ર૮૦ ૦ર૦૦૬નો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech