પોરબંદરમાં રજવાડી ડેરીફાર્મના વયોવૃધ્ધ માલિક સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ થયો છે જેમાં તેમણે પરપ્રાંતીય ઇસમોને બે ત્રણ વર્ષથી કામે રાખ્યા હોવા છતાં હજુ સુધી પોલીસને તેને જાણ કરી ન હતી જેથી પોલીસે તેમની ધરપકડ કરી છે.
પોરબંદરના નરસંગ ટેકરીની જયભારત સોસાયટીના પરીલોક ખાતે રહેતા બીપીનભાઇ હિંમતલાલ મોઢા નામના ૬૩ વર્ષના વૃધ્ધે તેમની નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલ રજવાડી ડેરી ફાર્મ ખાતે પરપ્રાંતીય મજૂરોને કામે રાખ્યા હતા જેમાં ઉતરપ્રદેશના વિનયકુમાર રાજેશકુમાર, રાઘવેન્દ્ર વીરેન્દ્રસિંહ, સમસાદઅલી શકીલઅલી, આશિષકુમાર રાજેશકુમાર અને પ્રતિમુનિ સીક્ધદરસિંહને છેલ્લા બે ત્રણ વર્ષથી કામે રાખ્યા હતા પરંતુ બીપીનભાઇ મોઢાએ પોલીસ સ્ટેશનમાં તેની નોંધણી કરાવી ન હતી અને તેનું રજીસ્ટર પણ નીભાવ્યુ ન હતુ. માટે મજૂરોની નોંધણીના જાહેરનામાના ભંગ બદલ બીપીનભાઇ મોઢા સામે ગુન્હો નોંધીને પોલીસે તેમની ધરપકડ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech