શહેરની દરેડ, 49-દિ.પ્લોટ, દવા બજાર, સોનલનગર, ખોડીયાર કોલોની, નવાગામ ઘેડ, નવનાલા સહિતની મુખ્ય કેનાલોની સફાઇ પૂર્ણ: રંગમતી-નાગમતી નદીમાં પણ સ્વચ્છતાની કામગીરી: 11 ટીમો દ્વારા અલગ-અલગ વિભાગમાં થાય છે કામગીરી: મુકેશ વરણવા
જામનગર શહેરમાં પ્રિ-મોનસુનની કામગીરી ઝડપભેર ચાલી રહી છે, નદી અને કેનાલની સફાઇ લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે, 11 જેટલી ટીમો અલગ-અલગ વિભાગમાં મોકલીને કામગીરી કરવામાં આવે છે ત્યારે અત્યાર સુધીમાં જામનગરની તમામ મુખ્ય કેનાલોની સાફ-સફાઇ કરી દેવામાં આવી છે અને હજુ પણ વખતો વખત સફાઇની કામગીરી ચાલું રહેશે, પ્રિ-મોનસુનની કામગીરીમાં ા.50 લાખનું બજેટ ફાળવાયું છે, વિવિધ ટીમો કામ રહી છે ત્યારે માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, સીટી ઇજનેર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે તેમ સોલીડ વેસ્ટ શાખાના મુખ્ય અધિકારી મુકેશ વરણવા આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.
જામનગર શહેરમાં રણજીતસાગર રોડ, દરેડ, ખોડીયાર કોલોની, ગોકુલનગર, ઇન્દીરા રોડ, અંબર ચાર રસ્તા, નવાગામ ઘેડ સહિતના વિસ્તારોમાં પાણીના નિકાલ માટેની મુખ્ય કેનાલ આવેલી છે, કુલ લંબાઇ 40 કિ.મી. જેટલી થાય છે અને આ લગભગ કેનાલ અને નદી-નાળા એક વખત સાફ-સફાઇ કરી દેવામાં આવ્યા છે, તા.25 એપ્રિલથી આ કામગીરી શ કરાઇ છે, જેનો પ્રથમ રાઉન્ડ તા.31 મે સુધીમાં પુરો થઇ જશે અને બીજા રાઉન્ડમાં જયાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી સફાઇની કામગીરી અવિરત કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 70 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ હોય તેમ ગણી શકાય, ખાસ કરીને રણમલ તળાવમાં આવતી દરેડની કેનાલ, 49-દિ.પ્લોટ પાસેની કેનાલ, દવા બજાર, સોનલનગર, ખોડીયાર કોલોની, નવાગામ ઘેડ, વિભાપર નવનાલા સહિતની કેનાલ સહિતની રંગમતી-નાગમતી નદીની કેનાલોને એક વખત સાફ કરી દેવામાં આવી છે, હજુ પણ વરસાદ થાય ત્યારે થોડો ઘણો કચરો ફેલાશે, ત્યારે પણ ફરીથી સાફ-સફાઇ કરવામાં આવશે.
રંગમતી અને નાગમતી નદીને ચોખ્ખી કરવા માટેની કામગીરી કરવામાં આવી છે, ગયા વખતે જયાં-જયાં પાણી ભરાયું હતું ત્યાં આ વખતે પાણી ન ભરાય તે માટે પણ અધિકારીઓને સુચના આપી છે અને તે મુજબ કામગીરી થઇ રહી છે, હાલ તો પ્રિ-મોનસુન કામગીરીનું સતત મોનીટરીંગ થઇ રહ્યું છે. આ ઉપરાંત સફાઇની કામગીરીમાં ભૂગર્ભ ગટર અને સિવીલ વિભાગનો સ્ટાફ મુકવામાં આવ્યો છે, તમામ ભૂગર્ભ ગટરના મુખ્ય હોલ અને ગટરની કામગીરી જુદા-જુદા કોન્ટ્રાકટર પાસે કરાવવામાં આવી રહી છે, ગયા વખતે અમુક વિસ્તારમાં નબળી કામગીરી થઇ હોવાનો પણ કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં જણાવ્યું હતું અને આવા કોન્ટ્રાકટરો સામે કડક પગલા લેવા પણ સુચના આપવામાં આવી હતી.
મ્યુ.કમિશ્નર દ્વારા પ્રિ-મોનસુનની કામગીરી સારી રીતે થાય તે માટે અલગ-અલગ વિભાગોમાં અધિકારીઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે, જો કે લગભગ 70 ટકા જેટલી કામગીરી પુરી થઇ ચૂકી છે અને બાકીની કામગીરી 15 દિવસમાં આટોપી લેવામાં આવશે, ગયા વખતે ગુલાબનગર વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી લોકોનો રોષ પણ ફાટી નિકળ્યો હતો અને સાંસદ, ધારાસભ્ય, મેયર અને ચેરમેન સહિતના પદાધિકારીઓને રજૂઆત પણ કરી હતી.
લગભગ બે અઠવાડીયામાં 11 ટીમો દ્વારા કરાતી કામગીરીનો પ્રથમ ભાગા પુરો કરી દેવામાં આવશે, ખાસ કરીને રણમલ તળાવમાં આવતી દરેડ ખાતેની કેનાલ હાલ તો ચોખ્ખી કરી દેવામાં આવી છે, પરંતુ પ્રથમ વરસાદ બાદ ઘણી વખત આ કેનાલ ભરાઇ જાય છે, જેને કારણે તળાવમાં પાણીની આવક ઘટી જાય છે. આ વખતે આવું ન બને તે માટે પહેલેથી જ સર્તકતા રાખવી પડશે અને જયાં-જયાં કેનાલમાં થોડો ઘણો કચરો ભરાય ત્યારે આ કેનાલો સાફ કરાવી પડશે. ઘણી વખત એવું બને છે કે, અત્યારે પ્રિ-મોનસુન કામગીરીમાં કેનાલોને સાફ કરી દેવામાં આવે છે, ટુંકમાં 70 ટકા કામગીરી થઇ ચૂકી છે અને લગભગ 10 થી 12 દિવસમાં એટલે કે 5 જુન સુધીમાં પ્રથમ રાઉન્ડની તમામ કામગીરી પુરી કરી દેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબાબરા : પવનચક્કીમાં એકાએક બ્લાસ્ટ થયા બાદ સળગી ઉઠી, લોકોમાં નાસભાગ
May 16, 2025 05:09 PMરાજકોટ : પુરવઠા વિભાગ દ્વારા EKYC મુદે આકરા વલણને લઈને વિરોધ
May 16, 2025 04:52 PMજૂનાગઢ જેલમાંથી હિરલબાનો કબ્જો લઇને થશે ઉંડાણથી પૂછપરછ
May 16, 2025 04:51 PMપોરબંદર પોલીસ સાઇબર ક્રાઇમના ગુનામાં હિરલબા જાડેજાની કરશે પૂછપરછ
May 16, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech