સલાયાથી પરોડીયાને જોડતો ડામર રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે અનેકવાર ગ્રામજનોએ તથા સરપંચ એ લેખિત રજૂઆત કરવા છતાં હજુ આ પ્રશ્ર્ને વણઉકેલ છે, હાલમાં તો આ રસ્તામાં ડામર રોડ હતો કે નહીં એ કહેવું પણ મુશ્કેલ છે. ગાડા માર્ગ જેવો રસ્તો બની ગયેલ છે, જાણવા મળેલ વિગત મુજબ આ રોડ બનાવવાનું કામ પણ મંજુર થઇ ગયેલ છે. છતાં હજુ કામ ચાલુ થયેલ નથી. હાલ આ પરોડીયાથી સલાયા તરફ જવા માટેનો રસ્તો ખરાબ હોય, બીમાર લોકો તેમજ ડીલીવરી માટે જતી ગર્ભવતી સ્ત્રીઓને ભારે તકલીફો સામનો કરવો પડે છે, આવી પરિસ્થિતિથી થાકી આજરોજ પરોડીયાના સામાજિક કાર્યકર તથા ચારણ ગઢવી સમાજના આગેવાન તથા સરપંચ તથા ગ્રામજનોએ સાથે રાખી કલેકટર દેવભૂમિ દ્વારકા સમક્ષ લેખિત રજૂઆત કરેલ છે. તેમજ જો કામ આ ચાલુ આઠ દિવસમાં નહીં થાય તો નાછૂટકે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી લેખિતમાં ઉચ્ચારી છે, આ રોડનું કામ તુરંત ચાલુ થાય એ લોકમાંગણી ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદરમાં સંભવિત વાવાઝોડા સામે સતર્ક રહેવા બેઠક યોજાઇ
May 23, 2025 03:51 PMગીતાનગર રહેતા ઇલેકટ્રીશ્યનના મકાનમાંથી રોકડ- ઘરેણાની ચોરી
May 23, 2025 03:18 PMશાળા-કોલેજો પાસે ડ્રગ્સ વેંચનારાઓને પકડવા કલેક્ટર પ્રભવ જોષીનો આદેશ
May 23, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech