ગઇકાલે સાંજે 45 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા લોકોને ગરમીથી રાહત મળી
જામનગરમાં છેલ્લા છ દિવસથી સુર્યદેવતા નરમ પડયા છે, એટલું જ નહીં 45 કિ.મી.ની ઝડપે ગઇકાલે ઠંડો પવન ફુંકાતા લોકોને ગરમીમાં રાહત થઇ હતી, ગુજરાતના અન્ય શહેરોમાં તાપમાન 40 થી 42 ડીગ્રી રહ્યું હોય, જામનગરનું તાપમાન 34 ડીગ્રીએ પહોંચ્યું હતું તેથી લોકોને પર રાહત થઇ હતી, હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં હળવાથી ભારે ઝાપટા પડશે અને ખેડુતોને આ માટે સચેત રહેવા જણાવાયું છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન દોઢ ડીગ્રી ઘટી 34 ડીગ્રી, લઘુતમ તાપમાન 26 ડીગ્રી, હવામાં ભેજ 82 ટકા અને પવનની ગતિ 40 થી 45 કિ.મી. પ્રતિકલાક રહી હતી.
જામનગરના કલેકટર ભાવિન પંડયા, દ્વારકાના કલેકટર જી.ટી.પંડયા સહિતના અધિકારીઓએ હીટવેવથી બચવા માટે માર્ગદર્શીકા પણ જાહેર કરી છે, ડોકટરોના કહેવા મુજબ સતત પાણી પીતા રહેવું, લીંબુ પાણી અને નાળીયેર પાણીનો પણ ઉપયોગ કરવો, તડકા દરમ્યાન ચકકર આવે તો તાત્કાલીક અસરથી નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ડોકટરોનો સંપર્ક કરવો.
જામનગર સહિત સમગ્ર ગુજરાત અગનભઠ્ઠી બન્યું છે, ગઇકાલે અમરેલીમાં 41 ડીગ્રી નોંધાઇ હતી, અમુક રાજયોમાં 41 થી 43 ડીગ્રી ગરમી હતી, હવામાન ખાતુ કહે છે કે હજુ પણ એકાદ અઠવાડીયા સુધી લુ લાગશે અને આકાશમાંથી અગનગોળા વરસશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech