દ્વારકાના વરવાળા ગામે ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિરે બિહારીબાપુ દ્વારા કરાયો ર્જીણોધાર

  • February 08, 2025 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વરવાળા ગામે આવેલ પૌરાણીક ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિરમાં રામધૂન પ્રેમી બિહારીબાપુ દ્વારા મંદિરમાં ર્જીણોધાર કરી અને એક રૂમ તથા ત્રણ ટોયલેટ બાથીીરૂમ નવા બનાવવામાં આવ્યા છે, જેથી મંદિરે આવતા દર્શનાર્થીઓની સુવિધામાં વધારો થાય. 

મંદિર પટાંગણમાં બિહારીબાપુના અઘ્યક્ષ સ્થાને તા.૬-૨-૨૫થી ૧૬-૨-૨૫ સુધી અખંડ રામધૂનનું સુંદર આયોજન દ્વારકા, ઓખા, મીઠાપુર પરીવાર દ્વારા કરવામાંઅ આવેલ છે, અખંડ રામધૂનમાં દરેક પ્રેમ પરીવારના સભ્યો રામભકતોને લાભ લેવા આયોજક દ્વારા અનુરોધ કરાયો છે.
​​​​​​​
બિહારીબાપુ દ્વારા દ્વારકા, ઓખા, મીઠાપુર, બેટદ્વારકા, ભાટીયા, કલ્યાણપુર, રાવલ સહિતના ગામોમાં અવારનવાર અખંડ રામધૂનના સુંદર આયોજન કરી અને ભકતોને રામધૂનના માઘ્યમથી લીન કરી દેવામાં આવે છે, બાપુ દ્વારા હાલાર પંથક ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાત તેમજ ભારત દેશના અલગ-અલગ રાજયોમાં રામધૂનના આયોજન કરી રામમંત્રને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application