સિહોર શહેરના વોર્ડ નંબર ૨માં લોકો પાણી અને ગટરની સમસ્યાથી ત્રસ્ત રહીશો દ્વારા ચીફઓફિસર સમક્ષ રજુઆત બાદ યોગ્ય સત્વરે યોગ્ય કરવા તંત્રની ખાતરી

  • May 08, 2025 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોર  શહેરના વોર્ડ ૨માં આવેલ રામનગર પ્લોટિંગ વિસ્તારના રહેવાસીઓ પાણી અને ગટરની સમસ્યાથી ત્રસ્ત થઈ રહ્યા હોય  અગાઉ પણ રજૂઆત કર્યા છતાં પણ નગરપાલિકા દ્વારા યોગ્ય નિકાલ કરવામાં ના આવતા રહેવાસીઓ નગરપાલિકાના ચીફઓફિસર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
જેમાં  વહેલી તકે યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી. સિહોર વોર્ડ ૨માં આવેલ રામનગર પ્લોટિંગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સોસાયટીમાં પાણી અને ગટરનો પ્રશ્ન જટિલ બનતો જાય છે અને વારંવાર સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. હાલમાં પાણી અપૂરતું
આવી રહ્યું છે. તેમજ ગટરના પાણી આ સોસાયટીમાં ઠેર ઠેર ભરાઈ ગયેલ છે અને ભયંકર રોગચાળો ફેલાવવાનો ભય પણ રહેલો છે. 
ઉપરાંત સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કર્યા છતાં આજ સુધી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. રહેવાસીઓ વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીની આગેવાનીમાં નગરપાલિકાના ચીફઓફિસર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે સમસ્યાના નિરાકરણ માટે વહેલી તકે યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application