જામજોધપુર નજીક શેઠ વડાળા ગામ પાસે એક એસટી બસના ચાલકે ત્રણ ભેંસોને હડફેટમાં લઈ ઇજાગ્રત બનાવ્યાની ફરિયાદ શેઠ વડાળા પોલીસ મથકમાં નોંધાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના વતની અને જામજોધપુર એસટી બસ ડેપોની જી.જે.૧૮ ઝેડ ટી -૬૬૩ નંબરની એસટી બસના ચાલક રમેશભાઈ મનહરભાઈ લુદરીયાએ શેઠ વડાળા નજીક હાઈવે રોડ પર ત્રણ ભેસોને હડફેટમાં લીધી હતી, અને ત્રણેય ઇજાગ્રસ્ત બની ગઈ હતી.
આ અકસ્માતના બનાવ અંગે ઢોરના માલિક ખિમાભાઈ વાલાભાઈ ટાપરિયાએ શેઠ વડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે એસ.ટી. બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech