વિશિષ્ટ પ્રતિભા સન્માન સમારોહ યોજાયો
જોડીયા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જોડિયા તાલુકાના પડાણા મુકામે એક સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ક્ષત્રિય રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનું તેમજ વિશિષ્ટ પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરેલ હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઠાકોર સાહેબ રાજકોટ માંધાતા સિંહજી ઓફ રાજકોટ તેમજ કાર્યકર્મના ઉદ્ઘાટક મયુરધ્વજસિંહજી (જે.એમ.જે. ગ્રુપ) રાજકોટ, ઇન્દ્રવિજયસિંહ રાઓલ (લાખણકા સ્ટેટ) મુખ્ય મહેમાન તરીકે રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય જામનગર) અતિથિવિશેષ એમ. બી. જાડેજા, પરબતસિંહ જાડેજા, ડો. જીગરસિંહ જાડેજા, ડો. રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ વિજયસિંહ જાડેજા (રાજ સિક્યુરિટી રાજકોટ) કે.ડી. જાડેજા (પી.એસ.આઈ. બાલંભા) તેમજ શક્તિસિંહ જાડેજા (કોટડા નાયાણી, ભૂમિ ગ્રુપ-ગોંડલ) ની ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ પ્રતિભાઓને જોડીયા તાલુકા રાજપૂત સમાજ દ્વારા સિલ્ડ તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા (સ્ટેટ ઓફ રાજકોટ) એ શોભાવ્યું હતું, કાર્યક્રમના અંતે શાસ્ત્રી જ્ઞાન વલ્લભદાસજી સ્વામી (પૂર્વ મહંત શ્રી સ્વામિનારાયણ મંદિર-મુળી) એ આશિવચન પાઠવેલ હતું.
ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા જોડીયા તાલુકા રાજપૂત સમાજ પ્રમુખ અરવિંદસિંહ ચંદુભા જાડેજા (તારાણા) ઉપપ્રમુખ સહદેવસિંહ ખુમાનસિંહ જાડેજા (ટીબડી) તેમજ મંત્રી નરેન્દ્રસિંહ ચનુભા જાડેજા (અંબાલા) તથા સમગ્ર જોડીયા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજે કાર્યક્રમને સફળ બનાવવા અથાગ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech