અલિયાબાડાના કોઝવે પાસે બેકાબુ બનેલા રીક્ષા ચાલકે બે બાઈક સવાર સહિત ત્રણ યુવાનને હડફેટમાં લીધા
જામનગર નજીક અલિયાબાડા પાસે આવેલા કોઝવે નજીક બેકાબુ બનેલા એક રિક્ષા ના ચાલકે માર્ગ પર ઉભેલા બે બાઈકસવાર સહિતના ત્રણ યુવાનોને હડફેટમાં લઈ ઇજાગ્રસ્ત બનાવ્યા ની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે, કે અલિયાબાડા ગામમાં રહેતા અજય દીપકભાઈ પરમાર નામના ૨૦ વર્ષના દેવીપૂજક યુવાને પોતે જ્યારે અલિયાબાડા ગામના કોઝવે પાસે ઊભા હતા,
જે દરમિયાન પોતાને તેમજ બાઈક સાથે ઉભેલા તેના કુટુંબી મામા નવીનભાઈ રાઠોડ તેમજ અન્ય કુટુંબી મામા હિતેશભાઈ રમેશભાઈ રાઠોડ સહિત ત્રણેયને ઇજાગ્રસ્ત બનાવ્યા હતા. જે ત્રણેયને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે, જયારે અકસ્માત સર્જનાર જી.જે. ૧૦-ટી. ડબલ્યુ. ૨૭૭૦ નંબરની રીક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે, જે ફરાર થઈ ગયો હોવાથી પોલીસ ટુકડી તેને શોધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech