શ્રી વીરદાદા જશરાજ યુવા ફાઉન્ડેશન- જામનગર દ્રારા લોહાણા સમાજ માટે યજ્ઞોપવિત સંસ્કારનુ આયોજન.
પ્રવર્તમાન મોંઘવારીના સમયમાં લોહાણા સમાજ માટે સ્તુત્ય પગલું.
જામનગર શહેરમાં છેલ્લા ૧૨ વરસથી ક્રાંતિકારી વિચારો સાથે સમાજ ઉત્કર્ષના,સાંસ્કૃતીક પ્રોજેક્ટ સહિત અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા એક સ્તુત્ય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે.
પ્રવર્તમાન મોંઘવારીના સમયમાં સામાજીક પ્રસંગોના બિનજરૂરી ખર્ચા ટાળી કરકસરથી પારિવારિક પ્રસંગ થઈ શકે તે માટે સમાજનાં જરૂરિયાત મંદ પરિવારો માટે પંચમ યજ્ઞોપવિત સંસ્કારનો પ્રોજેક્ટ કરવામાં આવનાર છે. જેમાં એક સાથે પાંચ બટુકોનાં નામની નોંધણી થયેથી યજ્ઞોપવિત સંસ્કાર કરાવી આપવામાં આવશે.જેની રજિસ્ટ્રેશન ફી માત્ર ૧૦૧/ રાખવામાં આવેલ છે.
આ ઉપનયન સંસ્કારમાં જોડાનાર બટુકોનાં પ્રત્યેક પરિવારનાં ૧૧ વ્યક્તિના ભોજનની વ્યવસ્થા તેમજ બટુક માટે (ધોતી) પીતાંબરની વ્યવસ્થા સંસ્થા તરફથી કરી આપવામાં આવશે
સાત બટુકનું રજીસ્ટ્રેશન થયેથી*આ ઉપનયન સંસ્કાર વેદોક્ત વિધિ મુજબ ગ્રહણ કરાવવામાં આવશે
આ યજ્ઞોપવીત સંસ્કારનો સમય સવારે ૮.૦૦ થી ૧.૦૦ વાગ્યાનો રહેશે
જે કોઈ રઘુવંશી વહેલા તે પહેલા આ પ્રોજેકટમાં*જોડાઈ પોતાના સંતાનને ઉપનયન*સંસ્કાર આપવા ઈરછતા હોય*તેમણે સંસ્થાના *કાર્યાલય*૨૨૫,માધવ દર્શન કોમ્પલેક્ષ,ક્રિકેટ બંગલા સામે , જામનગર મુકામે બપોરના ૨ થી ૪ વાગ્યા દરમ્યાન સંપર્ક કરવો તેમ સંસ્થાના પ્રમુખ ભરતભાઇ કાનાબારે અનુરોધ કરેલ છે
વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૮૨૪૨ ૫૧૧૫૨ પર સંપર્ક કર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech