જામનગર વામ્બે આવાસમાં મકાનને નિશાન બનાવતા તસ્કરો

  • May 23, 2025 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માલિક બહાર ગામ ગયા અને પાછળથી એક લાખનો મુદામાલ લઇ ગયા

જામનગરના વામ્બે આવાસ જુના ત્રણમાળીયામાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું મકાનમાલીક બહારગામ ગયા હતા અને પાછળથી તસ્કરોએ ત્રાટકીને સોના, ચાંદીના દાગીના અને ૨૦ હજારની રોકડ મળી એક લાખનો મુદમાલ ઉઠાંતરી કરી ગયા છે.

જામનગરના વામ્બે આવાસ જુના ત્રણમાળીયા બ્લોક ૧૯ ‚મ નં. ૨૪માં રહેતા મજુરી કરતા સુરેશ જીવરાજભાઇ મકવાણા (ઉ.વ.૬૫) નામના વૃઘ્ધે સીટી-સી ડીવીઝનમાં ચોરી કરી જવા અંગે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે.

સુરેશભાઇ ગત તા. ૧૩-૫-૨૫ના સમયગાળા દરમ્યાન બહારગામ ગયા હતા અને પાછળથી કોઇ અજાણ્યા શખ્સો રસોડાનો દરવાજો તોડીને ઘરમાં ગેરકાયદે પ્રવેશ્યા હતા, દરમ્યાન ઘરના ‚મમાં રાખેલ પતરાના કબાટમાથી તિજોરી તોડીને તેમા રહેલ સોનાની એક જોડી બુટી, કાનની સર, સોનાની ૩ વીટી, ચાંદીનો હાથમાં પહેરવાનો પટ્ટો, રોકડા ૨૦ હજાર, કાનનુ સોનાનુ બુટીયુ મળી કુલ ૧.૦૨.૬૦૦નો મુદામાલ ચોરી કરી ગયા હતા.

બે દિવસ બાદ આ અંગેની જાણ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને વિધિવત ફરીયાદ નોંધાવી હતી આ અંગે પીએસઆઇ સીસોદીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application