જામનગર તાલુકાના ચંદ્રાગા પ્રાથમિક શાળા ખાતે કોમ્પ્યુટર લેબનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. મૂળ ચંદ્રાગા ગામના વતની અને હાલ લંડન રહેતા દિનેશભાઈ લાલજીભાઈ સંખલપરા દ્વારા તેમના પિતા સ્વર્ગસ્થ લાલજીભાઈ ચકુભાઈ સંખલપરા ની યાદમાં ચંદ્રાગા પ્રાથમિક શાળાને પાંચ કોમ્પ્યુટર સેટ અને ફર્નિચર સાથેની અધ્યતન લેબ દાનમાં આપેલ. જેનો લોકાર્પણ કાર્યક્રમ જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વ્રજલાલભાઈ અજુડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં દિનેશભાઈ અને તેમના બહેનના પરિવારજનો ઉપસ્થિત રહ્યા તેમજ સી.આર.સી કોર્ડીનેટર જીગ્નેશભાઈ જોરા તેમજ રેણુકાબેન અશોકભાઈ શાહ ટ્રસ્ટના પ્રતિનિધિ કારાભાઈ ખરા, ભૂતપૂર્વ સરપંચ રાજદીપસિંહ જેઠવા અને જેરામ બાપા, SMC અધ્યક્ષ મયાબા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ રાઠોડ તેમજ શિક્ષક મિત્રો મેહુલભાઈ ટોલિયા, દિલીપભાઈ ભંડેરી, પ્રવીણભાઈ પરમાર અને રાજેશભાઈ ચભાડીયા દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે દાતા પરિવાર દ્વારા સૌને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech