રાત્રિ કથા માટે આમંત્રણ...
જામનગરમાં આજથી યોજાનાર રાત્રી કથા માટે આમંત્રણ આપવા આયોજકો પૈકીના બે આગેવાનો દિનેશભાઇ મારફતીયા, રાજુભાઇ કટારીયા રાજકોટ આજકાલ કાર્યાલયની ઓફિસે પહોચ્યા હતાં.
***
સત્કર્મ ફાઉન્ડેશન અને શ્રીકૃષ્ણ મિત્ર મંડળ દ્વારા જીજ્ઞેશદાદા(રાધે રાધે)ની નિશ્રામાં સપ્તાહનો પ્રારંભ: છોટી કાશી જામનગરમાં તુલસીનગરી ખાતે દિવ્ય સપ્તાહ: સાંજે બાલા હનુમાનથી નીકળશે ભવ્ય પોથી યાત્રા: રાજકોટ આજકાલ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતાં આયોજકો
જામનગરના ઈતિહાસમાં પ્રથમ વખત આજથી રાત્રિ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ યાજાશે, આ પૂર્વે આજે સાંજે તળાવની પાળ બાલા હનુમાનથી ભવ્ય પોથી યાત્રા નીકળશે જે શહેર ભ્રમણ કર્યા બાદ કથા સ્થળે પહોંચશે. આ ભવ્ય આયોજનનું આમંત્રણ આપવા માટે આયોજકોએ રાજકોટ ‘આજકાલ’ કાર્યાલયની મુલાકાત લીધી હતી અને કથા અંગે વિગતો આપી હતી.
છોટા કાશી જામનગરના આંગણે સત્કર્મ ફાઉન્ડેશન તા શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા રાધે રાધે જીજ્ઞેશદાદાની નિશ્રામાં શ્રીમદ્ ભાગવત, તુલસી નગરી, એરપોર્ટ રોડ ખાતે સપ્તાહનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજકાલ (રાજકોટ)ની શુભેચ્છા મુલાકાતે આવેલા દિનેશ કારીયાએ કાના આયોજનની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.
ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન જીજ્ઞેશદાદા રાધે રાધેના મુખદારવીદે શે. પોી યાત્રા તા.૧૨-૧ને શુક્રવારે સૌજે ૫-૩૦ કલાકે તા કા પ્રારંભ રાત્રે ૮-૩૦ કલાકે, બાલા હનુમાન મંદિર, લાખોટા તળાવી તુલસી એવન્યુ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મોત્સવ સોમવાર તા.૧૫-૧, ગીરીરાજ ઉત્સવ મંગળવાર તા.૧૬-૧, કૃષ્ણ-રુક્ષમણી વિવાહ બુધવાર તા.૧૭-૧, કાવિરામ ગુરુવાર તા.૧૮-૧ સવારે ૯-૩૦ કલાકે શે.
કૃષ્ણ મિત્ર મંડળના રમણીકલાલ વિઠ્ઠલદાસ રાજાણી પરિવાર, પ્રવિણભાઈ દતાણી પરીવાર, કનુભાઈ કોટક તથા પરિવારના વિપુલભાઈ કોટક, કેતનભાઈ કોટક, હેમલભાઈ કોટક, હસમુખભાઈ કરશનભાઈ દતાણી પરિવાર, કલ્પેશભાઈ બાલકૃષ્ણભાઈ હડીયેલ પરિવાર, કાલિદાસ વિઠ્ઠલદાસ સોનૈયા, ઉમંગભાઈ દિનેશભાઈ રાજાણી, ખોડીદાસભાઈ ધામેચા પરિવાર(લંડન) ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર, અમૃતલાલ લક્ષ્મીદાસ કટારિયા (મારફતિયા) પરિવાર, વસંતરાય નારણદાસ ચગ પરિવાર, ગોરધનદાસ ખેરાજ અમલાણી પરિવાર, નરેન્દ્રભાઈ પંચમતિયા પરિવાર. કથાની ઍક્ઝિકયુટિવ કમિટિમાં અશોકભાઈ જોબનપુત્રા, ચેતનભાઈ આર. માધવાણી, અશિષભાઈ ચગ, અક્ષિતભાઈ પોબારુ, કિરિટભાઈ સોલંકી, હિમાંશુ પેશાવરીયા, બાદલભાઈ રાજાણી, ભુપેશભાઈ સોનૈયા, હિતુલભાઈ કારીયા, હીતેશભાઈ સખીયા, નિરજભાઈ દત્તાણી, ભાવેશભાઈ જાની, વિશાલભાઈ પંચમતીયા રાજુભાઈ મારફતીયા, હેમલભાઈ વસંત, રણજીતભાઈ મારફતીયા, દિનેશચભાઈ મારફતીયા, મીતેશભાઈ લાલ, મિહિરભાઈ કાનાણી, કલ્પેશભાઈ હડીયેલ, મેહુલભાઈ જોબનપુત્રા, વિપુલભાઈ કોટક, નિલેશભાઈ ઉદાણી, આનંદભાઈ રાયચુરા, મનોજભાઈ અમલાણી, નિશાંતભાઈ રાજાણીનો સમાવેશ છે જે કથાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech