પ્રમોશન મળેલા હરેશ વાણીયા અને નાયબ ઇજનેર મુકેશ ગોસાઇને એસ્ટેટમાં મુકાયા
જામનગર મહાનગરપાલીકામાં બઢતી અને બદલીનો દૌર ચાલી રહ્યો છે ત્યારે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ એસ્ટેટ શાખાના કાર્યપાલક ઇજનેર નિતીન દિક્ષીતને બદલાવીને સિવીલ શાખામાં જવાબદારી સોંપી છે જયારે તેની જગ્યાએ તાજેતરમાં પ્રમોશન મેળવેલા નાયબ ઇજનેર હરેશ વાણીયા અને મુકેશ ગોસાઇને એસ્ટેટ શાખાનો હવાલો આપવામાં આવ્યો છે.
એસ્ટેટ શાખામાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે, સુનીલ ભાનુશાળી પાસેથી ચાર્જ લઇ લેવાયો હતો અને ત્યારબાદ યુવરાજસિંહ નામના કર્મચારીને પણ સોલીડ વેસ્ટમાં મુકી દેવામાં આવ્યા હતાં, નિતીન દિક્ષીતને કાર્યપાલક ઇજનેર બનાવાયા બાદ તેમની બદલી પણ નિશ્ર્ચિત હતી, હવે દિક્ષીતની સાથે પાઠક સિવીલ શાખાના એક-એક ઝોન સંભાળશે. આમ મ્યુ.કમિશ્નરે ધીરે-ધીરે કેટલીક શાખાઓમાંથી કર્મચારીઓની સાફસુફી શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech