શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતિજીના આશીર્વાદથી કરાયું પ્રસ્થાન
દ્વારકાધીશ જગત મંદિરથી આજે 4 માર્ચ 2025ના રોજ કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન અંતર્ગત ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો છે. સંયુક્ત ભારતીય ધર્મ સંસદ દ્વારા આયોજિત આ યાત્રા મથુરા સુધી જશે. દ્વારકા શંકરાચાર્ય શારદાપીઠના સ્વામી સદાનંદજીના શિષ્ય બ્રહ્મચારી નારાયણનંદજીએ રથનું પૂજન કર્યું. સિદ્ધપીઠ મહેંદીપુર બાલાજી મંદિરના મહંત નરેશપુરીજી મહારાજ અને આચાર્ય રાજેશ્વરીજી આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે.
રથયાત્રા દ્વારકાથી પ્રારંભ થઈ ભાટીયા, ખંભાળિયા અને જામનગર થઈને આગળ વધશે. ત્યારબાદ રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ થઈને રાજસ્થાન, હરિયાણા મારફતે 23 માર્ચ 2025ના રોજ મથુરા પહોંચશે. દ્વારકા ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્તના પ્રમુખ અને દેવસ્થાન સમિતિના અધિકારીઓએ રથનો સત્કાર કર્યો.
આ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રીકૃષ્ણની જન્મભૂમિ પરથી અતિક્રમણ દૂર કરી ભવ્ય મંદિર બનાવવાનો છે. સંયુક્ત ભારત ધર્મ સંસદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રસિદ્ધ કથાકાર આચાર્ય રાજેશ્વરજીએ દ્વારકાધીશના ચરણોમાં મથુરામાં ભવ્ય મંદિર નિર્માણ માટે આશીર્વાદ માંગ્યા છે. ડૉ. કૈલાશ પરવાલ અને ડૉ. નરેશપુરી મહારાજના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં ભક્તો આ યાત્રામાં જોડાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech