તાણ-આંચકી ઉપડતાં પાણીમાં પડી જવાથી બનેલો બનાવ
લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતી એક પરણીતા બે દિવસ પહેલા નદીએ કપડાં ધોવા ગઈ હતી. જયાં તાણ આંચકીના કારણે પાણીમાં પડી જતા મૃત્યુ નિપજયુ હતું.
લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતી રૂડીબેન જેઠાભાઈ ધ્રાંગીયા નામની ૩૩ વર્ષની યુવતી જુની વાય તેમજ તાણ આંચકીની બીમારીથી પીડાતી હતી. દરમિયાન તા. ૧૩ના રોજ કપડાં ધોવા માટે મુરીલા ગામની નદીએ ગઈ હતી, જ્યાં તેણીને અચાનક તાણ આંચકી ઉપડતાં અકસ્માતે નદીના પાણીમાં પડી જતા ડૂબી જવાથી તેણીનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પતિ જેઠાભાઈ પાંચાભાઇ ધ્રાંગીયાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech