૧૦૮ ની ટીમેં સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો
જામનગરમાં લાખોટા તળાવમાં સાંજના સમયે એક વ્યક્તિ તળાવમાં પડી ગયા પછી તેને ફાયર બ્રિગેડની ટુકડીએ બેશુદ્ધ અવસ્થામાં બહાર કાઢ્યો હતો, જેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
જામનગરમાં લાખોટા તળાવ ગેટ નંબર -૮ ની સામેના ભાગમાં એક વ્યક્તિ તળાવમાં પડી છે, તેવી માહિતીના આધારે ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને તેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. જેના ખિસ્સામાં તપાસ કરતાં ઓળખ કાર્ડ નીકળ્યું હતું, જેમાં તેનું નામ નીતિનભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ ૫૦) હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
દરમ્યાન ૧૦૮ ની ટુકડી બનાવના સ્થળે આવી પહોંચી હતી, અને તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવની જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખૂંખાર નક્સલીઓથી બચાવનાર કે-9 રોલો ડોગ શહીદ: ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરાયા
May 16, 2025 04:07 PMભારતમાંથી યુએસમાં આઈફોન બનાવવાની કિંમત 1000 ડોલરથી વધીને 3,000 ડોલર થઈ શકે
May 16, 2025 03:47 PMતેલંગાણા મંદિરમાં મિસ વર્લ્ડ સ્પર્ધકોના પગ ધોતી મહિલાઓનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ
May 16, 2025 03:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech