ખરીદી અર્થે આવનારાઓના પર્સની ચોરીમાં પથારાવાળાની સાંઠ-ગાંઠ હોવાની આશંકા
જામનગરમાં રણજીતસાગર રોડ પર હર્ષદ મિલની ચાલી નજીક મહાવીર નગર સોસાયટીમાં દર મંગળવારે ગુજરી બજાર ભરાય છે, જ્યાં ખરીદી અર્થે આવનારા મહિલા સહિતના ગ્રાહકોની પર્સ ની ઉઠાંતરી થઈ જતી હોવાની ફરિયાદો ઉઠી છે, જે મામલે પોલીસ તંત્રએ ધ્યાન દેવું જરૂરી બન્યું છે.
જામનગરના રણજીત સાગર રોડ પાસે આવેલી હર્ષદ મિલની ચાલી પાછળ મહાવીર નગર સોસાયટી પાસે ભરાતી મંગળવારીમાં સતત ત્રણ મંગળવાર થી આઠ થી દસ જેટલી મહિલાઓ ના પાકીટ-પર્સ ચોરાયાની ફરિયાદો થઈ રહી છે. પબ્લિકમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે, કે પથારા વાળાઓ ખુદ ચોરો ને છાવરે છે, અને તેઓ સાથે સાઠગાંઠ હોય તેવી ચર્ચા એ પણ જોર પકડ્યું છે.
અહીં દર મંગળવારે ૨ થી ૩ હજાર જેટલા લોકો ખરીદી કરવા આવે છે, ત્યારે ગીરદીનો લાભ લઈને ગઠિયાઓ પોતાના હાથ અજમાવતા હોય છે, ત્યારે પોલીસ તંત્રએ આ મામલે સતર્કતા દાખવવી જરૂરી બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech