ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામે પોસ્ટ ઓફિસમાં રૂપિયાની ઘટ પડી જતાં વિધવાઓને રૂપિયા ચુકવી શકાયા ન હતા જેની દાઝે નાના ખોખરાના સરપંચ સહિત બે શખ્સોએ એક સંપ કરી મોટા ખોખરા ગામે આવેલી પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરને મારમાર્યો હતો.
મોટા ખોખરા ગામે પોસ્ટ ઓફિસમાં આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ દિલીપસિંહ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચાર-પાંચ દિવસ અગાઉ મોટા ખોખરા ગામે તેની બદલી થઈ છે અને તેમને બે દિવસમાં એક લાખ રૂપિયા કરતા વધુની સહાયની રકમ વિધવાઓને આપી હતી. પરંતુ પોસ્ટ ઓફિસમાં રૂપિયાની ઘટ પડતાં તેઓએ હેડ ઓફિસમાં વાત કરી હતી પરંતુ હેડ ઓફિસથી રૂપિયા ન આવી શકતાં મહિલાઓને બીજા દિવસે રૂપિયા લેવા આવવાનું કિધું હતું જે વાત બાજુમાં ઉભેલો અજાણ્યો શખ્સ સાંભળી જતાં આ શખ્સે પોસ્ટ મસ્તર સાથે બોલાચાલી કરી, નાના ખોખરા ગામના સરપંચ પ્રદિપસિંહ ગોહિલને ફોન કરી બોલાવી અજાણ્યા શખ્સે સરપંચ પ્રદિપસિંહ સાથે એકસંપ કરી પોસ્ટમાસ્તર સાથે બોલાચાલી કરી, ગાળો આપી, ધુળમાં સુવડાવી ગંભીર મારતા પોસ્ટ માસ્તરને ઇજાગ્રસ્ત હાલતે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં બંન્ને શખ્સો વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech