જામનગરમાં એક કંપની ના ત્રણ ડાયરેક્ટરો ને ચેક પરત ફરવા ના કેસ માં અદાલતે બે વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.
જામનગર મા રહેતા ત્યાગરાજસિંહ જયસિંહ મોરી પાસે થી જામનગર નાં એક્રોમિક બાથ ફીટીંગ લી.નામની કંપની દ્વારા રૂ. ૫ લાખ ની રકમ ઊંછીની મેળવી હતી અને તેની પરત ચૂકવણી માટે ચેક આપવામાં આવ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા ત્યાગરાજસિંહ મોરી એ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ચાલી જતા એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર બી ગોસાઈ એ આરોપીઓ એવા કંપનીના ડાયરેકટર કૃષ્ણકાંત આણંદલાલ અજુડીયા, જગદીશચંદ્ર આણંદલાલ અજુડીયા અને ઋષભ કૃષ્ણકાંત અજુડીયા ને બે વર્ષ ની સજા અને ચેક થી બમણી રકમ મુજબ નો દંડ અને જો દંડ ની રકમ ભરપાઈ ન કરે તો વધુ ત્રણ માસ ની સજા નો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ વિપુલ જાની અને અર્પિત રૂપાપરા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech