મકાન ખાલી કરવા નાં ઝગડામા દ્વારકામાં ભાઇ ઉપર સગા ભાઈ અને ભાઈ ના ત્રણ સંતાનો દ્વારા હુમલો કરવા નાં કેસ માં તમામ ચાર આરોપીઓને અદાલતે છ માસ ની સજા અને એક -એક હજાર ની રકમ નાં દંડ નો હુકમ કર્યો છે.
દ્વારકામાં રહેતા રમેશભાઈ નાથાભાઈ પરમાર ઉપર મકાન ખાલી કરવાના પ્રશ્ને તેને જ સગા ભાઈ ભીખુભાઈ નાથાભાઈ પરમાર અને ત્રણ ભત્રીજાઓ કમલેશ ભીખુભાઈ , હરેશ ભીખુભાઈ અને દિલીપ ભીખુભાઈ એ ધોકા વાડે હુમલો કરી માર માર્યો હતો અને જાન.થી મારી નાખવા ની ધમકી આપી હતી. આ.અંગે રમેશભાઈ નાથાભાઈ પરમાર ની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હતી .
આ અંગેનો કેસ એડી. ચીફ.જીડીસીયલ મેજિસ્ટ્રેટ શ્રી.કે કે પટેલ ની અદાલત માં ચાલી જતા તમામ ચાર આરોપીઓને છ માસની સજા અને ૧૦૦૦ નાં દંડ અને દંડ ની રકમ ભરપાઈ ના કરે તો વધુ એક માસ ની સજા નો અદાલતે આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે એપીપી સુનિતાબેન પી પરમાર રોકાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech