જામજોધપુરમાં બિમારીથી કંટાળી વેપારી યુવાને જીવાદોરી ટુંકાવી

  • May 09, 2025 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુરમાં માનસીક બિમારીથી કંટાળીને એક વેપારી યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસમાં જાહેર થયેલી વિગતોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી

જામજોધપુરના ઉમીયાનગર-૧માં રહેતા અમિતકુમાર હસમુખભાઇ ગઢેચા (ઉ.વ.૪૮) નામના લોહાણા વેપારી છેલ્લા ૯ વર્ષથી માનસીક બિમાર હોય દરમ્યાન બિમારીથી કંટાળી જઇ ગઇકાલે પોતાના મકાને મેળામાં દોરડા વડે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી.
​​​​​​​

આ બનાવ અંગે ઉમીયાનગર ખાતે રહેતા મહેશકુમાર જમનાદાસ ગઢેચા દ્વારા જામજોધપુર પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application