રૂપિયા ૭૧,૦૦૦ ની માલમત્તાની ચોરી
જામનગર તા ૨૫, જામનગરમાં શંકર ટેકરી સુભાષપરા વિસ્તારમાં બે મકાનોને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા, અને અંદરથી રૂપિયા ૭૧ હજારની માલમત્તા ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં શંકર ટેકરી સુભાષ પરા શેરી નંબર -૨ માં રહેતા શાહીનાબેન જાવીદભાઈ બલોચ નામની મહિલાના મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદર પ્રવેશ કરી કબાટમાં રાખેલી રૂપિયા ૬૪,૦૦૦ ની કિંમત ની સોનાની ઈયરીંગની ચોરી કરી ગયા હતા.
આ ઉપરાંત બાજુમાં રહેતા ચંદનબેન મુકેશભાઈ ગણેશીયા નામની મહિલાના રહેણાક મકાનને પણ તસ્કરો એ નિશાન બનાવ્યું હતું, અને મકાનમાં રાખેલી રૂપિયા ૭,૦૦ની રોકડ રકમ ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ છે, અને વધુ તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech