ડીકેવી કોલેજ પાસે વૃક્ષના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરાયું: શહીદ ચંદ્રશેખર આઝાદીની પુણ્યતિથી નિમિતે અપાતિ શ્રઘ્ધાંજલી
આપણા દેશના મહાન ક્રાંતિકારી વીર શહીદ ચંદ્રશેખર આઝાદની ૨૩ મી જુલાઈના રોજ ૧૧૮ મી જન્મ જયંતી નિમિત્તે પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા એક સૂક્ષ્મ પ્રયાસ રૂપે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા પ્રકૃતિ મિત્ર જામનગર સંસ્થા ના સહયોગ થી *એક વૃક્ષ શહીદ કે નામ* કાર્યક્રમ અંતર્ગત શ્રી પુર્ણેશ્વર મહાદેવ મંદિર ધુંવાવ ખાતે સવારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ શહેરના ડીકેવી સર્કલ ખાતે સાંજે વૃક્ષના બીજ અને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ વીર શહીદ ચંદ્રશેખર આઝાદજી ને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને આશરે 300 જેટલાં વૃક્ષના રોપા તથા વૃક્ષ બીજ વિતરણ કરાયું જેમાં વિવિધ સંસ્થાના આગેવાનો સહિત બહુ મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમી લોકોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેતન ભટ્ટ, જયદિપ રાવલ, સુનિલ જોષી, કિરીટ ઠાકર, મનીષ ત્રિવેદી, મયુર નાખવા, ભૌતિક સંધાણી, રાજેશ ઠાકર, કનુભાઈ રાજ્યગુરુ,સિમિત રાવલ, મનીયા ઠાકર, હિના ઠાકર, મનીષા જોષી, પારુલ ત્રિવેદી, ધરતી વ્યાસ, અર્ચના જોષી, નિશા અવાર, રક્ષા ભટ્ટ.સુઝેન ફળદું, વિરલ ત્રિવેદી, જામ્બાલી રાવલ, કમલેશ ભટ્ટ, રાજુ વ્યાસ, વિમલ મહેતા, કપિલ રાવલ સહિતના વગેરે બંને સંસ્થાના હોદ્દેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ મુજબ સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટની યાદીમાં જણાવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech