ઓખામંડળમાં બે પરિણીતાઓને સાસરીયાઓનો સીતમ: ફરિયાદ

  • November 26, 2024 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મંડળના મીઠાપુર ખાતે રહેતા રહેતી અને કૌશિકભાઈ અરીલાની 31 વર્ષની પરિણીત પુત્રી વિભૂતિબેન આશિષભાઈ ઘાવડાને તેણીના લગ્નજીવન દરમિયાન તેણીના પતિ આશિષ યોગેશભાઈ ઘાવડા (ઉ.વ. 34) દ્વારા અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપી, મારકૂટ કર્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.

અન્ય એક બનાવમાં હાલ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતી અને આરબભાઈ જુમાભાઈ લુચાણીની 23 વર્ષની પરિણીત પુત્રી મહેમુદાબેન અલનુર ઢીમરને તેણીના લગ્નના વર્ષ 2021 માં સારી રીતે રાખ્યા બાદ તેણીના પોરબંદર તાલુકાના ગોસાબારા વિસ્તારમાં રહેતા પતિ અલનુર અલારખા ઉર્ફે લાખાભાઈ ઢીમર, સસરા અલ્લારખાભાઈ તેમજ સાસુ નુરબાઈ અને અસલમ અલ્લારખા, આસીયાનાબેન ઈમરાન અને ઈમરાન જાફર ઢીમર નામના છ સાસરિયાઓએ તેણીને દરિયામાં માછીમારી કરવા જવા બાબતે મેણા ટોણા મારી, બિભત્સ ગાળો કાઢી, શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપવા બાબત દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application