અમનેય સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાનો અધિકાર: યુએનમાં પાક કરગર્યું

  • May 03, 2025 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને કહ્યું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાનો અમને પણ અધિકાર છે.પાકિસ્તાને યુએનમાં કરગરતા કહ્યું છે કે જો જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સાથે તણાવ વધે તો તેને યોગ્ય સમયે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાનો અધિકાર છે.

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ, આસીમ ઇફ્તિખાર અહેમદે જણાવ્યું હતું કે, "અમે જોઈ રહ્યા છીએ કે આ બધું જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિની પૃષ્ઠભૂમિમાં થઈ રહ્યું છે. અમને પણ આ બેઠક બોલાવવાનો હક છે.જણાવી દઈએ કે પાકિસ્તાન હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે અને જુલાઈમાં 15 દેશોની સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનું અધ્યક્ષપદ સંભાળશે. અહેમદે કહ્યું, "એ સ્પષ્ટ છે કે આ એક ઘટના હતી, પરંતુ હવે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખરેખર ખતરો છે. અને અમે માનીએ છીએ કે સુરક્ષા પરિષદ પાસે ખરેખર તે અધિકાર છે અને પાકિસ્તાન સહિત પરિષદના કોઈપણ સભ્ય માટે સુરક્ષા પરિષદની બેઠક બોલાવવી, ચર્ચાની વિનંતી કરવી અને આ ગંભીર પરિસ્થિતિ પર વિચાર કરવો તે સંપૂર્ણપણે કાયદેસર રહેશે."


અસીમ ઇફ્તિખાર અહેમદે કહ્યું, "અમે કાઉન્સિલના સભ્યો સાથે આ અંગે ચર્ચા કરી છે. અમે ગયા મહિનાના પ્રમુખ અને આ મહિનાના પ્રમુખ સાથે આ અંગે ચર્ચા કરી છે. અમે પરિસ્થિતિ પર ખૂબ જ નજીકથી નજર રાખી રહ્યા છીએ અને જો અમને યોગ્ય લાગે તો અમને બેઠક બોલાવવાનો અધિકાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application