જામનગરમા ચોકીદારના રહેણાંક મકાનમાં ચોરી કરનાર મહિલાની ધરપકડ

  • April 29, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના વીરલબાગ વિસ્તારમાં રહેતા એક ચોકીદારના બંધ મકાન મા ચોરી થવા પામી હતી. કબાટમાંથી રોકડ અને ચાંદી મળી કુલ રૂ.૧૧ હજાર ની માતા નો ચોરી નાં.બનાવ ની તપાસ મા પોલીસે એક મહિલા ની ધરપકડ કરી હતી.


શહેર નાં વિરલબાગ વિસ્તારમાં રહેતા અને ચોકીદારી કરતા ખીમજીભાઇ રણમલભાઇ ચાવડા ના બંધ મકાનને કોઈ તસ્કરોએ બે દિવસ પહેલા  નિશાન બનાવ્યું હતું, અને  મકાનમાં અંદરના ભાગે તોડફોડ કરી નાખી નુકસાની પહોંચાડી હતી.


ત્યારબાદ કબાટમાં રાખેલી કેટલીક ૧૦ હજાર ની રોકડ રકમ અને ૧૦૦૦ ની કીમત નાં ચાંદી નાં  દાગીના ની ચોરી કરી લઇ ગયા હતા. ,આ ઉપરાંત કબાટમાં રાખેલી ચેકબુક તથા અન્ય કેટલાક દસ્તાવેજી સાહિત્ય વગેરે પણ ઉપાડી લીધા હતા જેને ઘરની બહાર લઈ જઈ કેટલુંક સાહિત્ય વગેરેને સળગાવી નાખી ભાગી છુટ્યા હતા.


સમગ્ર બનાવ મામલે પોલીસ મા ફરિયાદ નોંધાવતા  પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને તસ્કરોને શોધવા માટેની કવાયત હાથ ધરી હતી.

દરમ્યાન જૂના રેલ્વે સ્ટેશન પાસે થી પુરીબેન કાનાભાઈ વાજલીયા ની ધરપકડ કરી હતી તેની પાસે થી ૮૦૦૦ ની રોકડ અને ચાંદી નાં ઘરેણા કબ્જે કર્યા  હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application