આગમાં સાડી લપેટમાં આવી જતા સારવારમાં દમ તોડતા શોકની લાગણી
જામજોધપુરના તિરૂપતી સોસાયટી વિસ્તારમાં રહેતી મહિલા કચરો સળગાવતી વેળાએ અકસ્માતે દાઝી જતા સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ થતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
જામજોધપુરના તિરૂપતી સોસાયટીમાં રહેતા મુકતાબેન રવજીભાઇ શાપરીયા (ઉ.વ.77) નામના વૃઘ્ધાની છેલ્લા પાંચેક વર્ષથી માનસીક બિમારીની દવા ચાલતી હોય દરમ્યાન ગઇકાલે તેમના રહેણાંક મકાનની બહાર ખાલી જગ્યામાં કચરો સળગાવતા હતા આ વેળાએ આગમાં સાડી લપેટમાં આવી જતા તેણી શરીરે દાઝી ગયા હતા.
આથી સારવારમાં લઇ જતા જયાં તેણીનું મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે જામજોધપુર બેન્ક રોડ ખાતે રહેતા વેપારી જયેશ રવજીભાઇ શાપરીયાએ જામજોધપુર પોલીસમાં જાણ કરતા પોલીસ દ્વારા પ્રાથમિક વિગતોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech