દ્વારકા તાલુકાના બાટીસા ગામે રહેતા માણસીભાઈ વીરાભાઈ ચાસિયા નામના 24 વર્ષના યુવાન ગત તા. 21 ફેબ્રુઆરીના રોજ તેમના કાકાના દીકરા ધવલભાઈને સાથે લઈને તેમના જી.જે. 03 એચ.એસ. 0827 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ખોડીયાર ચેક પોસ્ટ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 01 એચ.ટી. 3497 નંબરની એક ઈનોવા મોટરકારના ચાલકે મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે બંને ભાઈઓ ફંગોળાઈ ગયા હતા અને ધવલભાઈને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે માણસીભાઈ ચાસીયાને પણ ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ બનાવ અંગે દ્વારકા પોલીસે ઈજાગ્રસ્ત માણસીભાઈ ચાસિયાની ફરિયાદ પરથી ઈનોવા કારના ચાલક સામે બી.એન.એસ. તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.ડી. કલોતરા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech