જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા એક યુવાને પોતાની માનસિક બીમારીથી તંગ આવી જઈ ઘરમાં પડેલું એસિડ ગટગટાવી જઈ આપઘાત કરી લીધો છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતો મનોજ હીરાભાઈ રાઠોડ નામનો ૪૦ વર્ષ નો યુવાન કે જે છેલ્લા ૧૮ વર્ષથી માનસિક બીમારીથી પીડાઈ રહયો છે, અને તેની દવા પણ ચાલુ છે. જે માનસિક બીમારીથી પોતે કંટાળી ગયો હતો, અને ઘરમાં પડેલું એસિડ પી લઈ આપઘાત નો પ્રયાસ કર્યો હતો, તેથી તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાય તે પહેલાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પત્ની હંસાબેન મનોજભાઈ રાઠોડએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદીપિકા પ્રભાસની ફિલ્મ 'સ્પિરિટ'માં મહત્વનો રોલ અદા કરશે
May 14, 2025 12:00 PMમૂળીનાં ભેટ અને દાધોળીયા ગામેથી ૧૬ ની ખનિજ ચોરી ઝડપાઇ
May 14, 2025 11:57 AMનવયુગ વિદ્યાલય ખાતે દેશી રમતોત્સવના સમર કેમ્પમાં બાળકોને પડી મોજ
May 14, 2025 11:55 AMપોરબંદરમાં ગીર અને બરડાની કેરીના 7000 બોક્સ થી વધુ ની થઈ રહી છે આવક
May 14, 2025 11:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech