મેજરબ્રીજના નિર્માણ થકી અંદાજે ૪૫હજાર જેટલા લોકોને અવરજવર કરવામાં સરળતા રહેશે: મંત્રીશ્રી
જામનગર તા.૧૫ જાન્યુઆરી, રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે જામનગર જીલ્લાના વાંસજાળિયા ગામે નિર્માણ પામનાર મેજરબ્રિજનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. રૂ.૬કરોડ ૫૬લાખના ખર્ચે નિર્માણ પામનાર ૬ ગાળાનો મેજરબ્રીજ ૧૧૧.૬૦ મીટર લાંબો અને ૧૨ મીટર પહોળો બનશે. વાંસજાળિયા, તરસાઇ,સતાપર તથા આજુબાજુના રહેવાસીઓને બ્રિજનું નિર્માણ થવાથી ફાયદો થશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, જે રસ્તા પર બ્રિજનું નિર્માણ થશે તે રસ્તો જામનગર જીલ્લાને પોરબંદર જીલ્લા સાથે જોડતો અગત્યનો મુખ્ય જીલ્લા માર્ગ છે. આ રોડ પરના વાંસજાળિયા ગામે આવેલ કોઝવે પરથી ચોમાસા દરમ્યાન પાણી ઓવરટોપિંગ થતું હોવાથી આ રસ્તો બંધ રહેવાના કારણે લોકોને હનુમાનગઢ થી જામજોધપુર જવા માટે આશરે ૧૫ કિમી જેટલું વધુ અંતર કાપવું પડતું હતું. પરંતુ મેજર બ્રિજનું કામ મંજુર થતા ૪૫૦૦૦ જેટલા લોકોને અવર જવર કરવામાં સરળતા રહેશે. અહી નજીકમાં સતાપર ગામે ધાર્મિક સ્થળ આવેલું હોવાથી પણ અનેક લોકો તેની મુલકાત લેતા હોવાથી હવેથી વાહનચાલકોને પણ સરળતા રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ
May 17, 2025 10:52 AMખંભાળિયાઃ સરકારી હોસ્પીટલમાં ઓર્થોપેડિકનું મશીન બગડી જતાં દર્દીઓ પરેશાન
May 17, 2025 10:47 AMયુએનએ ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને 6.3 ટકા કર્યો
May 17, 2025 10:46 AMવિછીયા તાલુકામાં ખેડૂતોને વીજ કનેક્શન ટાઈમે ન મળતા ખેડૂત સેવા સંગઠનની રજૂઆત
May 17, 2025 10:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech