જામનગર જિલ્લાના નાગરિકો કિચન ગાર્ડન માટે રાહતદરે બિયારણ મેળવી શકશે
જામનગર જિલ્લાના તમામ નાગરિકો માટે પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તથા સ્વાસ્થ્યને હાનિકારક ના બને તેવા રસાયણ રહિત શાકભાજી પોતાના ઘર આંગણે ઉગાડીને આખા વર્ષ દરમિયાન શુદ્ધ શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી (કિચન ગાર્ડન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પોતાના ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી જેવા કે ભીંડો, ટમેટા, રીંગણ, મરચાં, વાલોળ, પાપડી, ચોળી, તુરીયા, ગલકા, દુધી, કારેલા વગેરેનું વાવેતર કરી શકે તે હેતુથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ દ્વારા રુ. 05/- પાંચ પ્રતિ પેકેટના ટોકન ભાવે શાકભાજી બિયારણના પેકેટ તથા સેન્દ્રીય/ ઓર્ગેનિક ખાતર કીફાયતી દરે હાલમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.
તેમજ અત્રેની કચેરી દ્વારા એક દિવસીય કિચન ગાર્ડનિંગ વિષય પર તાલીમ સત્રનું પણ આયોજન કરવામાં આવશે. તો આ પ્રકારની પ્રવૃત્તિમાં રસ ધરાવતા દરેક નાગરિકોએ કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ, નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન- 4, પ્રથમ માળ, રૂમ નંબર 48, સુભાષ પુલ પાસે, જામનગર ખાતે રૂબરૂ સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નંબર 0288- 2571565 પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામક, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકા ગોમતી નદીમાં ત્રણ લોકો ડૂબ્યા, એકનો બચાવ, 2 લોકોની શોધખોળ
May 21, 2025 05:24 PMચીન CPECને અફઘાનિસ્તાન સુધી લંબાવશે, પાકિસ્તાન સાથે ડ્રેગનનો નવો ખેલ
May 21, 2025 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech