મૂળી તાલુકામાં અવારનવાર આપઘાતનાં બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મૂળ રાણીપાટ ગામના અને હાલ રાયસંગપર ગામે રહેતા ટીડાભાઇ ગગજીભાઇ બારૈયાની ૧૯ વર્ષીય પુત્રી નિતાબેનને થાનનાં વરમાધાર ગામનાં ખેતમજૂરી કરતા ૩૩ વર્ષીય વિનોદકુમાર ધીરૂભાઇ ગાંગડિયા સાથે છેલ્લા એકાદ વર્ષથી પ્રેમસંબધ બંધાયો હતો. બન્ને જણા
અવારનવાર એકબીજાને મળતા પણ હતા. આ અંગે યુવતીનાં પરિવારજનોને ખબર પણ પરંતુ યુવક વિનોદની ઉંમર નિતાબેન કરતા વધુ હોવાથી પરિવારજનો દ્વારા સબંધ ન રાખવા જણાવ્યું હતું અને લગ્ન પણ નહીં કરાવે તેમ જણાવ્યું હતું
બન્ને મૃતકનાં વાલીને બોલાવ્યા હતા
જેથી નિતાએ કોઇપણને જાણ કર્યા વગર પોતાના ઘરેથી નિકળી ગઈ હતી. અને બાદમાં દેવપરા પાસે બન્ને એક નહીં થઈ શકે તેમ કહી યુવક-યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કરી લીધું હતું. આ મૃતદેહ જોતા તેમને તાત્કાલિક સ્થાનિક સરપંચને જાણ કરાતા તેમને પોલીસને જાણ કરાતા રવિરાજસિંજ સહિતનાંએ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબ્જો લઈ તપાસ આરંભી પોલીસે બન્ને મૃતકનાં વાલીને બોલાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech