ગુજરાત સરકાર દ્રારા સંચાલિત એસટી બસના ભાડામાં આજથી ભાડામાં ૧૦ ટકાનો વધારો ઝીંકાયો છે,આજથી નવા ભાડાની અમલવારી આજ થી શ થઈ ગઈ છે,૪૮ કિમીની મુસાફરીમાં .૧ થી ૪ સુધીનો વધારો કરવામાં આવ્યો છે,ત્યારે ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે,તો બીજી તરફ સરકારે એસટી બસના ભાડામાં વધારો કરતા સરકારની આવકમાં પણ વધારો થશે.નિયમ મુજબ ૬૮ ટકાનો વધારો સૂચવાયો હતો. આજથી અમલ થયેલા ભાડા વધારાના પરિણામે સામાન્ય મુસાફરોને સીધી અસર થશે.
એસટી નિગમના નિયામક મંડળની બેઠકમાં બસ સંચાલન તથા અન્ય ખર્ચાઓને ધ્યાનમાં રાખીને સરેરાશ ૬૮% વધારાની દરખાસ્ત મુકવામાં આવી હતી પરંતુ નિયામક મંડળે સર્વાનુંમતે ૧૦ ટકા ભાડા વધારાને મંજૂરી આપી હતી.
સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રવાસ ગુજરાતીઓ કરે છે ત્યારે ગુજરાત એસટી નિગમ દ્રારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના કાર્યરત કરાય છે જે અંબાજીથી ઉમરગામ તેમજ કચ્છથી કાઠીયાવાડ સુધી અમલી બની રહેશે તેમજ ગુજરાતના તમામ એસટી ડેપો સહિત એસટી નિગમની તમામ ગુર્જર નગરી અને અન્ય એકસપ્રેસ બસોમાં લાગુ પડશે ગુજરાત એસટી નિગમ દ્રારા નોન એસી સ્લીપર કોચમાં પણ આ યોજના અમલી ગણાશે, ગુજરાત ભરના તમામ એસ ટી ડેપોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે.
તમામ મુસાફરો માટે પણ આ યોજના સસ્તી સવારી સહિત સલામત સવારી બની રહેશે તે નક્કી છે જોકે આ યોજના અંતર્ગત પ્રવાસી લોકો માટે પણ એકજ પાસ માં સમગ્ર ગુજરાતમાં ફરી શકશે. ગુજરાત એસટી નિગમ દ્રારા શ કરાયેલી આ યોજના અંતર્ગત ૧૪૫૦માં સાત દિવસ માટે સમગ્ર ગુજરાતભરમાં મન ફાવે ત્યાં ગુર્જર નગરીથી લઈ સુપર એકસપ્રેસ બસોમાં મુસાફરી કરી શકાશે તેમજ ૮૫૦ પિયામાં ચાર દિવસ સુધી ગુજરાત ભરમાં પ્રવાસ થઈ શકશે સાથોસાથ પરિવાર સાથે જવાનું હોય તો પિયા ૪૫૦ સુધીની અડધી ટિકિટ લઈને પણ પ્રવાસ થઈ શકશે .જોકે આગામી સમયમાં ગુજરાતની જનતા મન ફાવે ત્યાં ફરો યોજનાને કેટલો સફર બનાવે છે તે પણ મહત્વનું બની રહે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech