ઑસ્ટ્રિયાના બીજા સૌથી મોટા શહેર ગ્રાઝમાં એક શાળામાં ગોળીબારની ઘટના સામે આવી છે. ઑસ્ટ્રિયા પ્રેસ એજન્સી APAના અહેવાલ મુજબ, ગ્રાઝ શહેરના મેયરે જણાવ્યું હતું કે, આ ગોળીબારમાં 7 વિદ્યાર્થીઓ સહિત 11 લોકો માર્યા ગયા છે. જ્યારે 28 લોકો ઘાયલ છે જેમાંથી 4ની હાલકત ગંભીર છે.
શાળાનો એક વિદ્યાર્થી બંદૂક લઈને પહોંચ્યો
મળતી માહિતી મુજબ, શાળાનો એક વિદ્યાર્થી બંદૂક લઈને પહોંચ્યો હતો અને તેની સામે જે કોઈ દેખાય તેના પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી વિદ્યાર્થીએ વોશરૂમમાં જઈને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પોલીસે જણાવ્યું હતું કે તેમને સવારે 10 વાગ્યે (સ્થાનિક સમય) માહિતી મળી હતી અને તેના થોડા સમય પછી શાળાની ઇમારતની અંદરથી ગોળીબારનો અવાજ સંભળાયો હતો.
શાળા ખાલી કરાવી દેવામાં આવી
સ્થાનિક પોલીસે લોકોને તે વિસ્તારથી દૂર રહેવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે શાળા ખાલી કરાવી દેવામાં આવી છે અને દરેકને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને હવે કોઈ ખતરો નથી. ઑસ્ટ્રિયાનું શહેર ગ્રાઝ દેશના દક્ષિણપૂર્વમાં સ્થિત છે અને લગભગ 300,000 ની વસ્તી ધરાવે છે.
અફવાઓથી દૂર રહેવા અપીલ
અહેવાલ મુજબ, ગ્રાઝ શહેરના મેયર એલ્કે કાહરે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોમાં 7 વિદ્યાર્થીઓ સહિત 11 લોકોનો સમાવેશ થાય છે. તેમજ ગોળીબાર કરનાર ગુનેગાર હતો. શાળામાં ગોળીબારની તપાસની જવાબદારી સ્પેશિયલ ટાસ્ક ફોર્સને સોંપવામાં આવી છે. ઑસ્ટ્રિયાના ગૃહમંત્રી પણ ગ્રાઝ શહેર માટે રવાના થઈ ગયા છે. પોલીસે લોકોને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં બકરી ઇદ પર લોકો 91 લાખ પ્રાણી ઓહિયા કરી ગયા
June 11, 2025 01:05 PMજામનગરનો વધુ એક યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો
June 11, 2025 01:01 PMખંભાળિયામાં તૈલી નદી કાંઠે છ દુકાનનું ડિમોલિશન કરાયું
June 11, 2025 12:58 PMઆજે જગતમંદિરમાં ઠાકોરજીને ખુલ્લા પડદે જયેષ્ઠાભિષેક કરાયો
June 11, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech