ઉતરાયણ પહેલા જ રાજકોટ બાદ સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાસ કરીને વાલીઓ માટે લાલબત્તી સામાન કિસ્સો ગણી શકાય તેમ છે. જાન્યુઆરીની શરૂઆત થતા જ બાળકો પતંગ ચગવવા લાગે છે. આ પતંગ ચગાવતા સમયે ઘણીવાર અકસ્માતની ઘટના પણ બને છે. આવી જ અકસ્માતની ઘટના સુરતના સચિન જીઆઈડીસીમાં બની છે. 13 વર્ષનો તરૂણ પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે તેની દોરી હાઈટેમ્શન લાઈનમાં ફસાઈ ગઈ હતી. આથી કરંટ લાગતા તરૂણ દાઝી ગયો હતો. જો કે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બાળકના મોતને લઈને પરિવારમાં આક્રંદ
સુરતમાં પતંગ ચગાવતા સમયે બાળકનું કરંટ લાગતા મોત નિપજ્યું છે. 13 વર્ષીય પિન્સ નામના કિશોરનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તાર ખાતે આ દુર્ઘટના ઘટી છે. સામે આવેલી વિગતો અનુસાર પતંગ ચગાવતા સમયે ભૂલથી બાળકનો હાથ વીજ વાયરને અડી ગયો હતો. જે બાદ કરંટ લાગતા બાળક પટકાયો હતો. પરિવારજનો બાળકને લઈ હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે, બાળકનું મોત નીપજ્યું છે. બાળકના મોતને લઈને પરિવારમાં આક્રંદ છવાયો છે.
ગઈકાલે રાજકોટમાં એક બાળકે જીવ ખોયો હતો
મુંજકામાં કારખાનામાં રહેતો માત્ર 11 વર્ષનો કુશબીર સુભાષ શર્મા છત પર હતો અને કપાયેલી પતંગ લેવા જતો હતો ત્યારે કારખાનાની અમુક ઈંચ દૂર જ ટી.સી. છે તે તરફ ખેંચાયો અને વાયર પર પડી જતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સૌથી દુ:ખદ બાબત એ છે કે, કુશબીર અનાથ હતો અને પશ્ચિમ બંગાળથી અહીંયા તેના મામા સાથે રહેવા આવ્યો હતો.
ઈમારતની નજીક TCને કારણે સતત ત્રીજી ઘટના
મુંજકામાં થોડા દિવસો પહેલાં જ ઘરની નજીક રહેલા ટી.સી. પાસે એક બાળક ખેંચાઈ જતા તેના હાથ પગના આંગળા બળી ગયા હતા. જ્યારે તેની પહેલાં મુંજકામાં કલરકામ કરતા એક યુવાનને પણ ટી.સી.ની હેવી વીજલાઈનને કારણે શોક લાગતાં મોત નીપજ્યું હતું. આ સતત ત્રીજી ઘટના છે.
જાણો ઉત્તરાયણમાં શું ધ્યાન રાખવું?
ઉત્તરાયણ પર બાળકોની સલામતીનું ખાસ ધ્યાન રાખો. જ્યારે બાળકો પતંગ ઉડાડે ત્યારે તેમની સાથે જ રહો. પતંગ પકડવા માટે રસ્તા પર દોડશો નહીં. ટુ-વ્હીલર ચલાવતી વખતે ગળા પર મફલર પહેરો અથવા ટુ વ્હીલર પર સળિયા લગાવો. જેથી ઈજા ન ન થાય. ધાબા પર પતંગ ઉડાવતી વખતે વીજ લાઈનનું ખાસ ધ્યાન રાખો. વીજ લાઈન પર દોરી પસાર થતી હોય ત્યાંથી પતંગ ઉડાડવાનું ટાળો.
તુક્કલ ઉડાડવાનું ટાળો
મેડિકલ એસોસિએશને જણાવ્યું છે કે, દોરીથી ઈજા થાય તો તાત્કાલિક 108 પર ફોન કરો અને તુક્કલ ઉડાડવાનું ટાળો, કારણ કે તેનાથી આગ લાગી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech