આગામી તા.૨૬ મે ના પીએમના કચ્છ કાર્યક્રમ માટે રાજકોટ એસટી ડિવિઝનની ૨૬૦ સહિત સૌરાષ્ટ્રના અન્ય વિવિધ ડિવિઝનની કુલ ૬૫૦ બસ અને રાજ્ય સ્તરે કુલ ૧૩૦૦ એસટી બસ ફાળવવામાં આવનાર હોય આ દિવસે સૌરાષ્ટ્રમાં કુલ ૨૫૦૦ જેટલા એસટી બસ રૂટ રદ થશે તેમ જાણવા મળે છે.
વિશેષમાં એસટી નિગમના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આગામી તા.૨૬-મે ને સોમવારે વડાપ્રધાનની સંભવિત કચ્છ મુલાકાતના પગલે તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી મેદની લાવવા-લઈ જવા માટે ૧૩૦૦ એસટી બસો રોકવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે.કચ્છમાં વડાપ્રધાનની વિશાળ જાહેર સભા યોજાશે જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ હાજર રહે તેવી તૈયારી થઈ રહી છે જે અન્વયે લોકોને આ સ્થળે લાવવા-લઈ જવા માટે રાજકોટ ડિવિઝનની ૨૬૦, કચ્છ એસ.ટી.ડિવિઝનની ૨૬૦, પાલનપુર ડિવિઝનની ૧૬૦, જામનગર ડિવિઝનની ૧૩૦ અમરેલીની ૧૦૫ અને જુનાગઢ ડિવિઝનથી ૧૫૫ સહિત આશરે ૧૩૦૦ એસટી.બસો આ માટે ફાળવાશે. જેના કારણે સૌરાષ્ટ્રમાં એસ.ટી.બસોના અંદાજે અઢી હજાર રૂટ રદ કરાશે જેથી હજારો મુસાફરોને આ દિવસે એસ.ટી.બસ સેવા મળશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાસુસી કે હેક ન થઈ શકે તેવી અભેદ્ય ક્વોન્ટમ કમ્યુનિકેશન સિસ્ટમનો આવિષ્કાર
June 17, 2025 11:04 AM18 જૂને જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે
June 17, 2025 10:53 AMઇઝરાયલમાં મુસ્લિમ શહેરો અને વસ્તીને ઈરાન બનાવી રહ્યું છે નિશાન
June 17, 2025 10:52 AMપાકિસ્તાને જાત બતાવી, ઈરાન સાથે ઉભા રહેવાનું વચન આપી ઠેંગો બતાવી દીધો
June 17, 2025 10:48 AMગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી
June 17, 2025 10:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech