અમરેલીમાં બે દિવસ પહેલા આઠ વર્ષના બાળકની પાંપણમાંથી 28 જૂ અને 35 ઈંડા કાઢવામાં આવ્યા હતા. આ કિસ્સો મેડિકલ ક્ષેત્રમાં રેર ઓફ રેર ગણવામાં આવ્યો છે. આ કિસ્સો વિસરાયો નતી ત્યારે ભાવનગરમાં આવો જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. 5 વર્ષના બાળકના કાનમાંથી એક કે બે નહીં પણ 15 વંદા કાઢવામાં આવ્યા છે. સાથે તેના બચ્ચા પણ હતા. તપાસ કરતા સમયે ડોક્ટર પણ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.
કાનમાંથી આટલા બધા વંદા નીકળ્યા તે તપાસનો વિષય
મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામમાંથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. 5 વર્ષના બાળકના કાનમાંથી એક-બે નહીં પણ 15 જેટલા વંદા નીકળતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. કાનમાંથી આટલા બધા વંદા નીકળ્યા તે તપાસનો વિષય છે.
વિચિત્ર ઘટના જોઇને તબીબો પણ નવાઇ પામ્યા
ચોરવડલા ગામમાં રહેતા 5 વર્ષના બાળકને અવારનવાર કાનમાં દુઃખાવો રહેતો હતો. જેથી પરિવારજનો તબીબ પાસે લઈ ગયા હતા. જ્યાં તપાસ તેની કરીને બાળકના કાનમાંથી 15 જેટલા વંદા અને તેના બચ્ચા કાઢવામાં આવ્યા છે. આ વિચિત્ર ઘટના જોઇને તબીબો પણ નવાઇ પામ્યા હતા.
આ કિસ્સો મેડિકલ જગત માટે વધુ તપાસ અને સંશોધનનો વિષય
આ ઘટનાએ તબીબી વિજ્ઞાન જગતમાં પણ ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી છે. ડોક્ટરો પણ અચંબિત છે કે કાન જેવા સંવેદનશીલ અંગમાં વંદા કેવી રીતે પહોંચ્યા અને ત્યાં જીવિત રહી શક્યા. આ કિસ્સો મેડિકલ જગત માટે વધુ તપાસ અને સંશોધનનો વિષય બન્યો છે.
બાળકની આંખની પાપણોમાંથી 30 જીવતી જૂ નીકળી
હાલમાં જ અમરેલીના સાવરકુંડલામાં પણ અજીબોગરીબ ઘટના સામે આવી હતી. જેમાં 8 વર્ષના બાળકને સતત આંખમાં ખંજવાળ અને અગવડતા થતી હોવાથી તેને સારવાર માટે લલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યું હતું. અહીં ડોક્ટરોએ તપાસ કરતા બાળકની આંખમાં જીવતી જૂ જોઈને ચોંકી ઉઠ્યા હતા. તબીબ દ્વારા બાળકની જટિલ સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી દરમિયાન બાળકની આંખમાંથી લગભગ 30 જેટલી જૂ અને 35 જેટલા જૂના ઈંડા પણ સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech