ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રાંતના સિરેબોન જિલ્લામાં ગુનુંગ કુડા નામની પથ્થરની ખાણ ધસી પડવાથી શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુ:ખદ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૯ લોકોના મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોવાનું જાણવા મળે છે.
સ્થાનિક પોલીસ વડા સુમરનીએ માહિતી આપી હતી કે શનિવારે બપોર સુધીમાં કાટમાળમાંથી ૧૬ મૃતદેહો કાઢવામાં આવ્યા છે, જ્યારે એક ઘાયલનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ ખરાબ હવામાન, અસ્થિર જમીન અને ખડકાળ ભૂપ્રદેશને કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટના સમયે ખાણમાં કામ કરતા લોકો અચાનક પથ્થર પડવાથી કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયા સોનલધામ ખાતે ધો-10 અને 12ના ચારણ-ગઢવી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા
June 03, 2025 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech