ભારતમાં વાયુ પ્રદૂષણ કેટલું ચિંતાજનક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દરરોજ પાંચ વર્ષથી ઓછી ઉંમરના 464 બાળકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામી રહ્યા છે. આ દાવો અમેરિકાની ’હેલ્થ ઇફેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ’ના રિપોર્ટ સ્ટેટ ઑફ ગ્લોબલ એર 2024માં કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ભારતમાં 2021માં પ્રદૂષણને કારણે 21 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે પ્રદુષણને અટકાવવા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(ગ્રેપ), રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ(એનકેપ), પરાલી માટે નિયમો બનાવ્યા અને ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન વગેરે જેવા પગલા લઇ રહી છે.
ધ લેન્સેટના તાજેતરના અભ્યાસ મુજબ, 2000 થી 2019 ની વચ્ચે ભારતમાં ઓછામાં ઓછા 25 લાખ લોકો પરાલી બાળવાથી થતા વાયુ પ્રદૂષણને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે મૃત્યુ પામ્યા છે. અભ્યાસ કહે છે કે આ જ સમયગાળા દરમિયાન, વિશ્વભરમાં ઓછામાં ઓછા 3 કરોડ મૃત્યુ જંગલો અથવા જ્વાળામુખી વગેરે જેવી સમસ્યાઓના કારણે થયા છે. આમાંના ઓછામાં ઓછા 90 ટકા મૃત્યુ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થયા છે. અભ્યાસ અનુસાર ચીનમાં 28 લાખ લોકોના મોત થયા છે.
દેશની રાજધાની દિલ્હી સહિત ભારતના મોટા શહેરોમાં પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ ગઈ છે. દિલ્હીમાં, નવેમ્બર મહિનામાં પ્રદૂષણ ડબ્લ્યુએચઓ સુરક્ષિત સ્તર (750 કરતાં વધુ એક્યુઆઇ) કરતાં 50 ગણું પહોંચી ગયું છે, જે ’ઘાતક’ને બદલે ’ખતરનાક પ્લસ’ શ્રેણીમાં આવે છે. જે પછી રાજધાનીમાં શ્વાસ લેવાના જોખમને ધ્યાનમાં રાખીને વાયુ પ્રદૂષણને રોકવા માટે ’ગ્રેપ-4’ સ્તરના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા અને બાળકોની શાળાઓ ઓનલાઈન કરવા અને ઘરેથી કામ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. 27મી નવેમ્બરથી શાળાઓ ખોલવામાં આવી હતી પરંતુ ગ્રુપ 4ના પ્રતિબંધો હજુ પણ અમલમાં છે. તેમને દૂર કરવા માટે આજે દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર ભારતમાં પ્રદૂષણની આ સ્થિતિઓને ’રાષ્ટ્રીય કટોકટી’ ગણાવી છે અને તેને નિયંત્રિત કરવા માટે સંસદમાં તેના પર ચચર્િ કરવી જરૂરી ગણાવી છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2024ના રિપોર્ટમાં જણાવાયું છે કે 2021માં વિશ્વભરમાં સિગરેટના કારણે અંદાજે 75 થી 76 લાખ લોકોના મોત થયા હતા. જ્યારે વાયુ પ્રદૂષણને કારણે 81 લાખ લોકોના મોત થયા છે. એટલે કે વિશ્વમાં 12 ટકા મૃત્યુનું કારણ ઝેરી હવા છે. દર વર્ષે સમગ્ર વિશ્વમાં હાઈ બ્લડ પ્રેશરને કારણે એક કરોડથી વધુ મૃત્યુ થાય છે. આ બાબતો ચિંતા ઉભી કરે છે કારણ કે રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ)નું સ્તર 500ની નજીક પહોંચી ગયું છે. મતલબ કે હવે અહીંનો એક્યુઆઈ ’ગંભીર’ શ્રેણીમાં આવી ગયો છે. જ્યારે તે ’ગંભીર’ શ્રેણીમાં આવે છે, ત્યારે સ્વસ્થ લોકો પણ બીમાર પડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech