ગુજરાત સરકારે ૨૦૨૫ ના વર્ષ માટે ૨૭ રજા જાહેર કરી છે. તહેવારોના દિવસે જે જાહેર રજા કરવામાં આવી છે તેમાં ચાર તહેવાર એવા છે કે તે દિવસે રવિવાર હોવાથી કર્મચારીઓને રજાના મામલે નુકસાન થશે.
તારીખ ૨૬ જાન્યુઆરીના રોજ રવિવારે પ્રજાસત્તાક દિવસ તારીખ ૩૦ માર્ચના રવિવારે ચેટીચડં તારીખ ૬ એપ્રિલના રવિવારે રામનવમી અને તારીખ ૬ જુલાઈના રોજ રવિવારે મોહરમ (આશા) આવે છે અને તેથી જાહેર રજા હોવા છતાં સરકારી કર્મચારીઓને તેમાં નુકસાન જશે.
સરકારી કર્મચારીઓ માટે જાહેર રજા નક્કી કરાયા પછી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા રાયની હોસ્પિટલો અને દવાખાનાઓ માટે પણ રજા જાહેર કરવામાં આવે છે. જોકે ૨૭ માંથી ૧૪ રજા એવી છે કે ત્યારે સરકારી હોસ્પિટલ અને દવાખાનાઓમાં અડધો દિવસ ઓપીડી ચાલુ રાખવાની રહેશે. યારે સાત રજામાં ઓપીડી સંપૂર્ણપણે બધં રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જે જાહેર રજાના દિવસે સરકારી હોસ્પિટલ અને દવાખાનાઓમાં અડધો દિવસ ઓપીડી ચાલુ રહેવાની છે તેવી ૧૪ જાહેર રજામાં મકરસંક્રાંતિ મહાશિવરાત્રી રમજાન ઈદ મહાવીર જયંતિ ડોકટર આંબેડકર જયંતિ પરશુરામ જયંતિ બકરી ઈદ રક્ષાબંધન જન્માષ્ટ્રમી દિવાળી સરદાર પટેલ જયંતિ ભાઈબીજ અને ગુ નાનક જયંતિનો સમાવેશ કરાયો છે.
ધુળેટી ગુડ ફ્રાઈડે સ્વતત્રં દિવસ પતેતી દશેરા સંવત્સરી નૂતન વર્ષ દિન અને નાતાલના દિવસે સરકારી હોસ્પિટલ અને દવાખાનાઓમાં ઓપીડી અડધો દિવસ ચાલુ રહેશે.
૧૫ ઓગસ્ટ સ્વાતત્રં દિવસ અને પારસીના નૂતન વર્ષ પતેતીની રજા ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ના શુક્રવારે એક જ દિવસે આવતી હોવાથી આમાં પણ રજાના એક લાભની નુકસાની થઈ છે. આવી જ રીતે દશેરા અને ગાંધી જયંતી ૨ ઓગસ્ટ ૨૦૨૫ ના ગુવારે આવે છે અને ત્યારે પણ એક રજાની નુકસાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech